કેરલ વિધાનસભા ચૂંટણીમાં 140માંથી 102 બેઠકો જીતીને ઐતિહાસિક વિજય મેળવનાર કોંગ્રેસ નેતૃત્વ હેઠળના UDF ગઠબંધન માટે હાલમાં સૌથી મોટો પ્રશ્ન મુખ્યમંત્રી કોણ બનશે તે છે. પરિણામ જાહેર થયાને આઠ દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી CM પદ માટે સત્તાવાર જાહેરાત થઈ નથી.
દિલ્હીના સત્તાના ગલિયારાઓમાં હાલમાં કેરલના આગામી મુખ્યમંત્રીના નામને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા મથામણ ચાલી રહી છે. પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે સતત ચર્ચાઓ અને બેઠકોનો દોર ચાલુ છે.
CM પદની રેસમાં મુખ્ય દાવેદારો:
કે.સી. વેણુગોપાલ:
AICC જનરલ સેક્રેટરી અને રાહુલ ગાંધીના વિશ્વાસુ માનાતા વેણુગોપાલ હાલ રેસમાં સૌથી આગળ હોવાનું માનવામાં આવે છે. કોંગ્રેસના 63 ધારાસભ્યોમાંથી મોટાભાગના તેમનો સમર્થન ધરાવે છે. જોકે તેઓ હાલ સાંસદ હોવાથી રાજ્યમાં લાવવા અંગે કેટલાક કાર્યકરોમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે.
વી.ડી. સતીશન:
વિજયન સરકાર સામે છેલ્લા પાંચ વર્ષથી મજબૂત વિરોધ પક્ષના નેતા તરીકે ઉભરેલા સતીશન પ્રત્યે કાર્યકરોમાં ભારે સહાનુભૂતિ છે. ઘણા કાર્યકરો માને છે કે આ જીતના સાચા હકદાર સતીશન છે.
રમેશ ચેન્નીથલા:
અનુભવી નેતા અને ભૂતપૂર્વ વિરોધ પક્ષના નેતા ચેન્નીથલા પણ પોતાની વહીવટી કુશળતાને કારણે મજબૂત દાવેદાર માનવામાં આવે છે.
આ દરમિયાન, કોંગ્રેસ હાઈકમાન્ડે મંગળવારે કેરલના વરિષ્ઠ નેતા તિરુવંચૂર રાધાકૃષ્ણનને દિલ્હીમાં ચર્ચા માટે બોલાવ્યા હતા. રાધાકૃષ્ણનના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રીના નામ અંગેનો નિર્ણય હવે ટૂંક સમયમાં લેવાઈ શકે છે.
કેરલમાં આ રાજકીય અનિશ્ચિતતા વચ્ચે સૌની નજર હવે કોંગ્રેસ હાઈકમાન્ડના અંતિમ નિર્ણય પર ટકી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel