click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઉત્તરાયણમાં 5,439 પક્ષીઓનો બચાવ, 91% ને મળ્યું નવું જીવન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઉત્તરાયણમાં 5,439 પક્ષીઓનો બચાવ, 91% ને મળ્યું નવું જીવન
Gujarat

ઉત્તરાયણમાં 5,439 પક્ષીઓનો બચાવ, 91% ને મળ્યું નવું જીવન

14 જાન્યુઆરીના રોજ ગુજરાતની સાથે દેશભરમાં મકરસંક્રાતિની ઉજવણી કરવામાં આવી હતી.

Last updated: 2026/01/16 at 3:00 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

14 જાન્યુઆરીના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં વર્ષોથી ચાલી આવતી પતંગોત્સવની પરંપરા મુજબ આ વર્ષે પણ ઉત્તરાયણ પર લોકોએ ઘરની છત પર ચડીને પતંગો ચગાવ્યા હતા. જોકે, આ ઉત્સવ દરમિયાન પતંગની દોરીના કારણે અનેક અબોલ પક્ષીઓ ઘાયલ થવાના કિસ્સા સામે આવતા હોય છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દર વર્ષે જેમ આ વર્ષે પણ “કરુણા અભિયાન” હેઠળ અબોલ પક્ષીઓના વ્હારે આવી હતી અને જીવદયાની અનોખી પહેલને વધુ મજબૂત બનાવી હતી.

કરુણા અભિયાન – રાજ્ય સરકારની જીવદયા માટેની અનોખી પહેલ !

ઘાયલ પક્ષીઓને નવજીવન આપતા કરુણા અભિયાન અંતર્ગત વર્ષ – ૨૦૨૬ માં તા.૧૪ જાન્યુઆરી સુધી સમગ્ર ગુજરાતમાં કુલ ૫૪૩૯ પક્ષીઓની સારવાર કરીને તેમાંથી કુલ ૪૯૩૭ એટલે કે લગભગ ૯૧% પક્ષીઓને બચાવવામાં આવ્યા છે.

Karuna Abhiyan – a unique…

— Harsh Sanghavi (@sanghaviharsh) January 15, 2026

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરુણા અભિયાન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2026માં 14 જાન્યુઆરી સુધી સમગ્ર ગુજરાતમાંથી સારવાર માટે લાવવામાં આવેલા કુલ 5,439 ઘાયલ પક્ષીઓમાંથી 4,937 પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે, જે આશરે 91 ટકા સફળતા દર્શાવે છે. તેમણે આ અભિયાનને રાજ્ય સરકારની જીવદયાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. નોંધનીય છે કે આ કરુણા અભિયાન 10 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું હતું અને તે 20 જાન્યુઆરી સુધી ચાલુ રહેવાનું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ઉત્તરાયણ દરમિયાન દોરીથી ઇજાગ્રસ્ત થનારા અબોલ પક્ષીઓને સમયસર, યોગ્ય અને ઉચ્ચ સ્તરની સારવાર આપી કોઈપણ ભોગે તેમનું જીવન બચાવવાનો છે.

આનંદ અને ઉત્સાહના પર્વ ઉત્તરાયણ નિમિત્તે અબોલ પક્ષીઓને દોરીથી થતી ઈજાઓથી બચાવીએ.

👉 પક્ષીઓ માટે જીવલેણ ચાઈનીઝ માંજા અને વધુ કાચવાળી દોરીનો ઉપયોગ ગેરકાયદેસર છે, તેનો બહિષ્કાર કરો.
👉 સવારે ૯:૦૦ પહેલા અને સાંજે ૫:૦૦ પછી પતંગ ન ચગાવો.
👉 ઘાયલ પક્ષી દેખાય તો તરત જ વન વિભાગ કે… pic.twitter.com/thqyGEBj3l

— GujaratForestDept (@GujForestDept) January 14, 2026

ઉત્તરાયણ દરમિયાન ઝાડ પર ફસાયેલેલી દોરી અથવા દોરીના ગૂંચમાં ફસાઈ જવાથી પક્ષીઓને ગંભીર ઇજા થતી હોય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યભરમાં કરુણા અભિયાન અંતર્ગત વિશેષ સેન્ટરો શરૂ કર્યા છે, જ્યાં ઘાયલ પક્ષીઓને લાવવામાં આવે છે અને નિષ્ણાત વેટરનરી ડોક્ટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવે છે. આ સમગ્ર કામગીરીમાં વન વિભાગ, પશુપાલન વિભાગ તેમજ વિવિધ સ્વયંસેવી સંસ્થાઓએ એકસાથે મળીને સેવા આપી છે.

અબોલ પક્ષીઓ માટે કરુણા અને સુરક્ષાનો સંકલ્પ, કરુણા અભિયાન🕊️

આનંદ અને ઉત્સાહના પર્વ ઉત્તરાયણ નિમિત્તે અબોલ પક્ષીઓને દોરીથી થતી ઈજાઓથી બચાવવા અને તેમને ત્વરિત સારવાર મળી રહે તે માટે રાજ્યવ્યાપી 'કરુણા અભિયાન' ચલાવવામાં આવે છે, ત્યારે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી… pic.twitter.com/hvIm3WWkva

— Arjun Modhwadia (@arjunmodhwadia) January 13, 2026

આ અભિયાનની ગંભીરતા અને વ્યાપકતાને દર્શાવતા આંકડાઓ પણ નોંધપાત્ર છે. રાજ્યભરમાં કુલ 450 જેટલા કલેક્શન સેન્ટરો, 60થી વધુ કંટ્રોલ રૂમ્સ અને 450થી વધુ સારવાર કેન્દ્રો કાર્યરત રાખવામાં આવ્યા છે. ઉપરાંત, 650થી વધુ વેટરનરી ડોક્ટરો અને 8,000થી વધુ કર્મચારીઓ તથા સ્વયંસેવકો ખડેપગે રહી અબોલ જીવોની સેવા કરી રહ્યા છે. ઘાયલ પક્ષીઓની તાત્કાલિક મદદ માટે 1962 હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે 13 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના બોડકદેવ ખાતે આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લઈને કરુણા અભિયાન હેઠળ ચાલી રહેલી અબોલ જીવોની સેવાના યજ્ઞનું નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર અભિયાનથી સ્પષ્ટ થાય છે કે ઉત્તરાયણ જેવા ઉત્સવની ઉજવણી સાથે સાથે ગુજરાત સરકાર અબોલ જીવોના રક્ષણ અને જીવદયાને પણ સમાન મહત્વ આપી રહી છે, અને આ પ્રયાસોથી હજારો પક્ષીઓને નવું જીવન મળ્યું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, birds, birds rescued, Breaking news, Chief Minister Bhupendrabhai Patel, CM Gujarat, compassion campaign, gujarat, gujarat government, gujarati news, HARSH SANGHAVI, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, topnews, topnewschannelinindia, Uttarayan, Uttarayan festival, ઉત્તરાયણ, ઉત્તરાયણ 2026, કરુણા અભિયાન, ગુજરાત, ગુજરાત સરકાર, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પક્ષીઓ, મકરસંક્રાંતિની ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 16, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 1 એપ્રિલથી CIBIL નિયમોમાં ફેરફાર, બેંક-ગ્રાહક બંનેને લાભ
Next Article BMCમાં ભાજપ ગઠબંધનની જીત, નાગપુરમાં પણ ભગવો છવાયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?