આ કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, 25 જૂન 1975 ના રોજ દેશમાં અમલમાં મુકાયેલ આંતરીક કટોકટીની સ્થિતિમાં કાયદાનો દુરઉપયોગ કરીને તત્કાલીન સરકાર દ્વારા હજારો લોકો, સામાજિક કાર્યકરો, લોક નેતાઓ અને સામાન્ય નાગરિકોને જેલમાં નાંખવામાં આવ્યા હતા. 25 જૂન 2025 ના રોજ દેશ પર લદાયેલ આંતરીક કટોકટીને 50 વર્ષ પૂર્ણ થવાના અવસર પર લોકશાહી માટેના એ કાળા દિવસને યાદ કરતા સંવિધાન હત્યા દિવસનો કાર્યક્રમ યોજાયો છે.
આ તકે મેયર ભરતભાઈ બારડ અને ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતુ. જિલ્લા યુવા વિકાસ અધિકારી વિક્રમસિંહ પરમારે આ અવસરે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
કટોકટી દરમ્યાન જેલવાસ ભોગવનાર મીસાવાસીઓનું પુષ્પગુચ્છ આપીને અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. જો મીસા કાયદા વિશે વાત કરવામાં આવે તો, મીસા એટલે કે મેઈન્ટેનન્સ ઑફ ઇન્ટર્નલ સિક્યુરિટી એક્ટ (MISA) (ભારતની આંતરિક સલામતી માટેનો કાયદો) 1971માં ભારતમાં અમલમાં આવ્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા આપતકાલ (કટોકટી) ના ૫૦ વર્ષની યાદમાં રાજયકક્ષાનો સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ ગાંધીનગર ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેનું જીવંત પ્રસારણ ઉપસ્થિત નાગરિકોએ નિહાળ્યું હતુ.
આ તકે જિલ્લા કલેકટર ડૉ.મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, આગેવાન દિગ્વિજયસિંહ ગોહિલ, કુમારભાઈ શાહ સહિત પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared