આસામમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે. તાજેતરમાં રાજ્ય સરકારે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં કુલ 37 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ચિહ્નિત કરીને દેશનિકાલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી આસામના શ્રીભૂમિ સેક્ટર વિસ્તારમાંથી હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સ્વયં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ અંગે જાણકારી આપી હતી. તેમણે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે – “ગુડબાય ઘૂસણખોરો; આસામમાં તમારો સમય પૂરો!” સરમાએ આગળ ચેતવણી આપતાં લખ્યું કે તમામ “અનિચ્છનીય મહેમાનો (ઘૂસણખોરો)” સાથે આવી જ રીતે વર્તન કરવામાં આવશે અને રાજ્યમાંથી તેમને હાંકી કાઢવામાં આવશે.
Good bye infiltrators 👋🏼; your time's up in Assam!
37 uninvited guests have been PUSHED BACK to their own homeland in Bangladesh from the Sribhumi sector.
Just letting you all in advance — All unwanted guests will be treated with the same gesture. pic.twitter.com/zEPU85nNq7
— Himanta Biswa Sarma (@himantabiswa) September 23, 2025
મુખ્યમંત્રી દ્વારા શેર કરાયેલ ફોટોઝ પરથી સ્પષ્ટ થાય છે કે આ 37 લોકોમાં પુરુષો અને મહિલાઓ સાથે નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. તેઓને સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા. નોંધનીય છે કે આ પહેલી વાર નથી, પરંતુ તેના પહેલાં પણ અનેક વખત આસામમાંથી ગેરકાયદે ઘૂસણખોરોને પકડીને દેશનિકાલ કરવામાં આવ્યો છે. સરકારનો દાવો છે કે રાજ્યની સુરક્ષા અને સ્થાનિક નાગરિકોના હિત માટે આ પગલાં જરૂરી છે.
આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે આસામ સરકાર ગેરકાયદે ઘૂસણખોરીને કોઈ પણ રીતે સહન નહીં કરે અને આગામી સમયમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel