18મા રોજગાર મેળાના અવસરે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા ભરતી થયેલા 61,000થી વધુ યુવાનોને વિડીયો કોન્ફરન્સિંગ મારફતે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું અને તેમને દેશસેવામાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા પ્રેરિત કર્યા. દેશભરના કુલ 45 સ્થળોએ આ રોજગાર મેળા યોજાયા હતા, જ્યાં પસંદગી પામેલા યુવાનોને સરકારી સેવાઓમાં જોડાવાની તક મળી.
#WATCH | PM Narendra Modi to distribute 61000 appointment letters.
Union Minister Jitendra Singh says, "… Out of the total appointment letters to be distributed, 49,200 are associated with the Home Ministry and paramilitary forces… Women constables are being appointed in… pic.twitter.com/VX68dAM9w7
— ANI (@ANI) January 24, 2026
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આ સમય યુવાનોને માત્ર રોજગાર જ નથી આપતો, પરંતુ તેમને બંધારણ પ્રત્યેની તેમની જવાબદારીઓ સાથે પણ વધુ નજીક લાવે છે. તેમણે યાદ અપાવ્યું કે 24 જાન્યુઆરીના રોજ ભારતના બંધારણે ‘જન ગણ મન’ને રાષ્ટ્રગીત અને ‘વંદે માતરમ’ને રાષ્ટ્રગાન તરીકે સ્વીકાર્યું હતું અને આ નિમણૂક પત્રો પણ એક રીતે રાષ્ટ્રનિર્માણ માટેનું આમંત્રણ છે. પીએમ મોદીએ કહ્યું કે આ પત્ર માત્ર નોકરીનું દસ્તાવેજ નથી, પરંતુ વિકસિત ભારત તરફ આગળ વધવા માટેનું ‘સંકલ્પ પત્ર’ છે.
#WATCH | PM Narendra Modi says, "… This time is also bringing you closer to your responsibilities towards the Constitution… On 24 January, our Constitution accepted Jana Gana Mana as the National Anthem and Vande Mataram as the National song… This appointment letter is, in… https://t.co/Le4fArsSlV pic.twitter.com/QTtZYeJojU
— ANI (@ANI) January 24, 2026
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત સરકાર અને રાજ્ય સરકારો સંયુક્ત રીતે યુવાનો માટે લાખો નવી રોજગાર તકોનું સર્જન કરી રહી છે. UPSC, SSC, રેલ્વે ભરતી બોર્ડ અને IBPS જેવી મુખ્ય એજન્સીઓ દ્વારા પારદર્શક અને સમયસર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. UPSCનું ‘પ્રતિભા સેતુ’ પોર્ટલ પ્રતિભાશાળી યુવાનોને ખાનગી ક્ષેત્રમાં પણ રોજગાર તકો શોધવામાં મદદરૂપ બની રહ્યું છે. મહિલાઓ, દિવ્યાંગો અને પછાત જિલ્લાઓના ઉમેદવારોને વિશેષ લાભો આપવામાં આવી રહ્યા છે અને ભરતી પરીક્ષાઓ 13 પ્રાદેશિક ભાષાઓમાં લેવાઈ રહી છે, જેથી વધુ સમાવેશક વ્યવસ્થા ઊભી થઈ શકે. પેપર લીક જેવી ગેરરીતિઓને અટકાવવા માટે કડક કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે, જે ભરતી પ્રક્રિયામાં વિશ્વાસ વધારે છે.
#WATCH | PM Narendra Modi says, "… Think of all the times over the last 5-7 years, when you came in contact with the government, be it a government office, or in any other way, and you faced some difficulty or noticed some shortcomings. Now it is for you to ensure that all… pic.twitter.com/t8c1NOSltc
— ANI (@ANI) January 24, 2026
આ સાથે પ્રધાનમંત્રીએ કૌશલ્ય વિકાસ પર પણ વિશેષ ભાર મૂક્યો. I-GOT કર્મયોગી પોર્ટલ દ્વારા 4,200થી વધુ ઉચ્ચ ગુણવત્તાવાળા અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેના માધ્યમથી અત્યાર સુધીમાં 1.47 કરોડથી વધુ સરકારી કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે. પીએમ મોદીએ જણાવ્યું કે સરકારનું લક્ષ્ય યુવાનોને માત્ર નોકરી આપવાનું નથી, પરંતુ તેમને સતત કૌશલ્ય વિકાસની તક આપીને ભારતને અનેક ક્ષેત્રોમાં વૈશ્વિક હબ તરીકે ઉભું કરવાનું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel