સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 2026 માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે નવી બે-તબક્કાની પરીક્ષા સિસ્ટમ હેઠળ તમામ વિદ્યાર્થીઓ માટે પહેલી બોર્ડ પરીક્ષા આપવી ફરજિયાત રહેશે. CBSEના જણાવ્યા અનુસાર, જો કોઈ વિદ્યાર્થી પહેલી પરીક્ષામાં ઓછામાં ઓછા ત્રણ વિષયમાં હાજર નહીં રહે તો તેને ‘Compulsory Repetition’ કેટેગરીમાં રાખવામાં આવશે, જેના કારણે તે બીજી પરીક્ષામાં બેસી શકશે નહીં.
CBSE દ્વારા 2026થી ધોરણ 10 માટે બે બોર્ડ પરીક્ષાની વ્યવસ્થા લાગુ કરવામાં આવી રહી છે, જેથી વિદ્યાર્થીઓને તેમના પરિણામમાં સુધારો કરવાની વધારાની તક મળી શકે. બોર્ડે જણાવ્યું કે કેટલીકવાર વિદ્યાર્થીઓને વ્યક્તિગત કારણોસર પહેલી પરીક્ષા આપવી મુશ્કેલ બની શકે છે, પરંતુ શૈક્ષણિક મૂલ્યાંકન માટે પહેલી પરીક્ષા આપવી અનિવાર્ય છે. પહેલી પરીક્ષાના પરિણામના આધારે જ બીજી પરીક્ષા માટે યોગ્યતા અને પરિણામ પ્રક્રિયા નક્કી કરવામાં આવશે.
બોર્ડે આ નિર્ણય વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા મળેલી અપીલો બાદ લીધો છે. કેટલાક વિદ્યાર્થીઓએ પહેલી પરીક્ષા ન આપી શકવાના સંજોગોમાં સીધા બીજી પરીક્ષામાં બેસવાની માંગણી કરી હતી, પરંતુ CBSEએ નિયમો સ્પષ્ટ કરતા જણાવ્યું કે પહેલી પરીક્ષામાં હાજરી ફરજિયાત રહેશે.
નવી માર્ગદર્શિકા મુજબ, પહેલી પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓ ત્રણ મુખ્ય વિષય – વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન અથવા ભાષાના વિષયોમાં ફરીથી પરીક્ષા આપી સુધારો કરી શકશે. બીજી તરફ, જે વિદ્યાર્થીઓ પહેલી પરીક્ષામાં ત્રણ અથવા વધુ વિષયોમાં ગેરહાજર રહેશે તેઓને બીજી પરીક્ષા માટે મંજૂરી આપવામાં નહીં આવે અને તેઓને આગામી ફેબ્રુઆરીમાં થનારી મુખ્ય પરીક્ષા માટે રાહ જોવી પડશે.
કમ્પાર્ટમેન્ટ કેટેગરી હેઠળ આવતા વિદ્યાર્થીઓને બીજી પરીક્ષામાં બેસવાની તક મળશે. ઉપરાંત, જે વિદ્યાર્થીઓ કેટલાક વિષયોમાં કમ્પાર્ટમેન્ટ સાથે સુધારો પણ કરવા માંગે છે તેઓ બંને કેટેગરી હેઠળ પરીક્ષા આપી શકશે. CBSEએ વધુમાં સ્પષ્ટ કર્યું છે કે ધોરણ 10 પાસ થયા બાદ વિદ્યાર્થીઓ કોઈ વધારાના વિષય માટે અલગથી પરીક્ષા આપી શકશે નહીં.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom