ભારત સરકાર દ્વારા 16થી 18 એપ્રિલ 2026 દરમિયાન સંસદનું ત્રણ દિવસીય વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને રાજકારણમાં વધુ પ્રતિનિધિત્વ આપવા માટે મહત્વપૂર્ણ કાયદાકીય સુધારા કરવાનું છે. સામાન્ય રીતે સંસદના નિયમિત સત્રો નક્કી સમયગાળામાં યોજાય છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે મહત્વના નિર્ણય લેવા માટે આવા વિશેષ સત્રો બોલાવવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આ વિશેષ સત્રને મહિલા સશક્તિકરણ માટેનું ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તમામ રાજકીય પક્ષોને એકજૂટ થઈ આ કાયદાકીય પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરી છે. તેમના શબ્દોમાં, “માતાઓ અને બહેનોનું સન્માન એટલે દેશનું સન્માન.”
કયા બિલો થશે રજૂ?
આ વિશેષ સત્રમાં સરકાર ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ કરી રહી છે:
- 131મો બંધારણીય સુધારો બિલ
- ડિલિમિટેશન (સીમાંકન) બિલ
- કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદામાં સુધારા માટેનું બિલ
આ ત્રણેય બિલોનો સંયુક્ત હેતુ ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ને અસરકારક રીતે અમલમાં મૂકવાનો છે, જેના હેઠળ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે.
आज से शुरू हो रही संसद की विशेष बैठक में हमारा देश नारी सशक्तिकरण के लिए ऐतिहासिक कदम उठाने जा रहा है। हमारी माताओं-बहनों का सम्मान राष्ट्र का सम्मान है और यही भावना लेकर हम इस दिशा में दृढ़ता से आगे बढ़ रहे हैं।
व्युच्छन्ती हि रश्मिभिर्विश्वमाभासि रोचनम्।
ता त्वामुषर्वसूयवो… pic.twitter.com/8KWT1WLSje
— Narendra Modi (@narendramodi) April 16, 2026
2029થી અમલ કરવાની તૈયારી
વર્ષ 2023માં પસાર થયેલા મહિલા અનામત બિલમાં એવી જોગવાઈ હતી કે નવી વસ્તી ગણતરી પછી જ તેનો અમલ થશે, જે કારણે આ પ્રક્રિયા 2034 સુધી લંબાઈ શકે તેવી સંભાવના હતી. પરંતુ હાલની સરકાર આ પ્રક્રિયાને ઝડપી બનાવી 2029ની લોકસભા ચૂંટણીથી જ મહિલાઓને અનામતનો લાભ આપવાનું આયોજન કરી રહી છે.
લોકસભાની બેઠકોમાં મોટો વધારો
મહિલાઓને 33% અનામત આપતાં સામાન્ય બેઠકોની સંખ્યા ઓછી ન થાય તે માટે સરકાર લોકસભાની કુલ બેઠકો વધારવાની તૈયારીમાં છે. હાલમાં 543 બેઠકો ધરાવતી લોકસભાને વધારીને લગભગ 850 બેઠકો સુધી લઈ જવાની યોજના છે.
- રાજ્યો માટે: 815 બેઠકો
- કેન્દ્રશાસિત પ્રદેશો માટે: 35 બેઠકો
આ ફેરફારથી મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળશે અને વર્તમાન રાજકીય સંતુલન પર અસર નહીં પડે.
ડિલિમિટેશન પર વિવાદ
બેઠકો વધારવા માટે મતવિસ્તારોનું પુનઃનિર્ધારણ (ડિલિમિટેશન) જરૂરી છે. સરકાર 2011ની વસ્તી ગણતરીના આંકડાઓના આધારે આ પ્રક્રિયા કરવા માંગે છે અને બંધારણમાં ‘વસ્તી’ શબ્દની વ્યાખ્યા બદલવાની તૈયારીમાં છે.
જોકે, વિરોધ પક્ષો આ મુદ્દે સહમત નથી. તેઓનો મત છે કે 2011ના આંકડા જૂના થઈ ગયા છે અને નવી વસ્તી ગણતરીના આધારે જ સીમાંકન થવું જોઈએ. આ મુદ્દો સત્ર દરમિયાન ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બનવાની સંભાવના છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel