છોટાઉદેપુર જિલ્લાના કવાંટના વતની અને પ્રખ્યાત પીઠોરા ચિત્રકાર પરેશ રાઠવાએ ફરી એકવાર ગુજરાત અને આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. નવી દિલ્હીમાં આવેલા રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત વિશેષ ‘રેસીડેન્સી કલા વર્કશોપ’માં તેમની કલા બદલ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
દેશના ટોચના 13 કલાકારોમાં પસંદગી
રાષ્ટ્રપતિ ભવનમાં 14 થી 23 એપ્રિલ દરમિયાન યોજાયેલા આ વિશેષ વર્કશોપમાં સમગ્ર દેશમાંથી માત્ર 13 પ્રતિભાશાળી કલાકારોની પસંદગી કરવામાં આવી હતી.
આ યાદીમાં ગુજરાતમાંથી બે કલાકારોનો સમાવેશ થયો હતો, જેમાં પરેશ રાઠવાનું નામ પણ ગૌરવપૂર્વક સામેલ થયું હતું.
10 દિવસીય આ વર્કશોપ દરમિયાન તેમણે આદિવાસી પીઠોરા સંસ્કૃતિને દર્શાવતું ભવ્ય અને અનોખું ચિત્ર તૈયાર કર્યું, જે હવે રાષ્ટ્રપતિ ભવનની શોભા વધારશે.
President Droupadi Murmu met a group of artists of traditional art forms at Rashtrapati Bhavan and witnessed their artwork. Thirteen artists working in different art forms, such as Kaavi, Nirmal, Mata ni Pachedi and Gond, are staying at Rashtrapati Bhavan under its… pic.twitter.com/Hg0AWbxv5y
— President of India (@rashtrapatibhvn) April 23, 2026
પીઠોરા કલાને મળી નવી ઊંચાઈ
સમાપન સમારોહ દરમિયાન દ્રૌપદી મુર્મુએ તમામ કલાકારોની કૃતિઓનું નિરીક્ષણ કર્યું અને ખાસ કરીને પરેશ રાઠવાની કળાની પ્રશંસા કરી.
તેમને સ્મૃતિચિન્હ આપી સન્માનિત કરવામાં આવ્યા, જેના કારણે પીઠોરા ચિત્રકલા આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ઓળખ મેળવી રહી છે.
છોટાઉદેપુર જિલ્લામાં આનંદનો માહોલ
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ જેવા અંતરિયાળ વિસ્તારમાંથી ઊભરીને રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચનાર પરેશ રાઠવાની આ સિદ્ધિથી સમગ્ર જિલ્લામાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
આ સિદ્ધિ માત્ર એક વ્યક્તિ માટે નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજ અને ગુજરાતની સંસ્કૃતિ માટે ગૌરવપૂર્ણ ક્ષણ માનવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel