પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં 9 મે, 2026ની તારીખ સુવર્ણ અક્ષરે અંકાઈ ગઈ છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ રાજ્યના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ભવ્ય સમારોહમાં પીએમ મોદીએ બંગાળની જનતાનું જે રીતે અભિવાદન કર્યું, તેણે વર્ષ 2014ની યાદો તાજી કરી દીધી છે.
પીએમ મોદીએ નતમસ્તક થઈને જનતાનું કર્યું અભિવાદન
બંગાળમાં લાંબા સમય સુધી ડાબેરી પક્ષો અને ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)નું શાસન રહ્યું છે. જોકે, વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ રાજ્યમાં પ્રથમવાર ભાજપની સત્તા સ્થાપી છે. શુભેન્દુ અધિકારીના શપથ ગ્રહણ પ્રસંગે આખા બંગાળમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પીએમ મોદીએ મંચ પર પહોંચીને અત્યંત શ્રદ્ધાપૂર્વક અને નતમસ્તક થઈને બંગાળની જનતાને પ્રણામ કર્યા હતા.
प्रधानमंत्री नरेंद्र मोदी ने पश्चिम बंगाल की जनशक्ति को नमन करते हुए जनता के जनादेश को लोकतंत्र की ताकत बताया और विकास के नए युग की बात कही।#NarendraModi #PMModi #WestBengal #Janadesh #BengalDevelopment
[ Narendra Modi, West Bengal, Public Mandate, Democracy Strength, New… pic.twitter.com/nDArmo6rwW
— One India News (@oneindianewscom) May 9, 2026
વર્ષ 2014ની યાદો તાજી થઈ
પીએમ મોદીની નતમસ્તક થવાની આ શૈલીએ વર્ષ 2014ના એ દ્રશ્યોની યાદ અપાવી, જ્યારે તેઓ લોકસભા ચૂંટણી જીત્યા બાદ પ્રથમવાર સંસદ ભવન પહોંચ્યા હતા. તે સમયે તેમણે લોકશાહીના મંદિર સંસદ ભવનને આવી જ રીતે પગથિયા પર માથું ટેકવીને નમન કર્યા હતા. તે જ રીતે, નવી સંસદના ઉદ્ઘાટન વખતે ‘સેંગોલ’ની સ્થાપના સમયે પણ તેમણે નમ્રતા સાથે પ્રણામ કર્યા હતા. હવે બંગાળમાં મળેલા ઐતિહાસિક જનાદેશ બદલ આભાર વ્યક્ત કરવા તેમણે ફરી એકવાર જનતા સામે શિશ ઝુકાવ્યું છે.
ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ
આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળમાં પહેલી વાર બનેલી ભાજપ સરકારનો શપથ ગ્રહણ સમારોહ હતો, જેમાં દેશભરના ઘણા અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. આ સમારોહને ખૂબ જ ઐતિહાસિક અને રાજકીય મહત્વ માનવામાં આવે છે.
સમારોહ દરમિયાન પીએમ મોદીએ પશ્ચિમ બંગાળ ભાજપના સૌથી વરિષ્ઠ કાર્યકર્તાઓમાંના એક મખનલાલ સરકારને મળીને તેમનું સન્માન કર્યું અને આશીર્વાદ લીધા હતા. ખાસ વાત એ છે કે 1952માં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સાથે કાશ્મીરમાં તિરંગો ફરકાવવાના આંદોલનમાં જોડાયા દરમિયાન મખનલાલ સરકારની ધરપકડ પણ થઈ હતી. 98 વર્ષની વયે પણ તેઓ રાષ્ટ્રવાદી વિચારધારાના પ્રારંભિક કાર્યકર્તાઓમાંના એક તરીકે ઓળખાય છે.
बैरकपुर में प्रधानमंत्री नरेंद्र मोदी ने अपनी सादगी और विनम्रता की मिसाल पेश करते हुए 90 वर्षीय भाजपा कार्यकर्ता माखनलाल सरकार के पैर छूकर उनका आशीर्वाद लिया और उन्हें भावुक होकर गले लगाया।
दशकों तक पार्टी की विचारधारा के लिए समर्पित रहे माखनलाल जी के प्रति यह सम्मान प्रदर्शित… pic.twitter.com/eRCROklJwR
— One India News (@oneindianewscom) May 9, 2026
294 બેઠકોવાળી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપે 207 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે મમતા બેનર્જીની TMC 81 બેઠકો સુધી સીમિત રહી હતી.