ભાવનગર જિલ્લામાં ‘સિંહ દિવસ’ ઉજવણી સંદર્ભે આયોજન બેઠકમાં સહાયક વન સંરક્ષક બિમલભાઈ ભટ્ટ દ્વારા માર્ગદર્શન આપતાં જણાવાયુ કે, સિંહ અને માનવ સાથેની આકસ્મિક ઘટનાઓમાં સંવેદના સમજણ અનિવાર્ય છે.
‘સિંહ દિવસ’ ૧૦ ઓગષ્ટ ઊજવણી સંદર્ભે તૈયારીના ભાગ રૂપે ભાવનગરમાં વન વિભાગ દ્વારા યોજાયેલ આયોજન બેઠકમાં સિંહ પ્રાણી અને માનવીય સંવેદના સંદર્ભે વાતો થઈ.
આ બેઠકમાં ભાવનગર સહાયક વન સંરક્ષક બિમલભાઈ ભટ્ટ દ્વારા માર્ગદર્શન આપતાં જણાવાયુ કે, સિંહ અને માનવ સાથેની આકસ્મિક ઘટનાઓમાં સંવેદના સમજણ અનિવાર્ય છે. ‘સિંહ દિવસ’ ઉજવણીમાં વન વિભાગ, શૈક્ષણિક સંસ્થાઓ અને પર્યાવરણ કાર્યકર્તાઓની સામેલગીરી દ્વારા આયોજન સંદર્ભે વાતચીત થઈ.
‘સિંહ દિવસ’ ભાવનગર જિલ્લા સંયોજક તખુભાઈ સાંડસુર દ્વારા આ ઉજવણી સંદર્ભે તબક્કાવાર આયોજન અંગે વાત કરી તેઓએ વિવિધ વિભાગોના સંકલન પર ભાર મૂક્યો.
બોટાદ સહાયક વન સંરક્ષક અનિલભાઈ રાઠવા સાથે અધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયાં. અહીંયા અન્ય જિલ્લાઓ સાથે આ ઉજવણીમાં ભાવનગર જિલ્લામાં વન વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે અન્ય કચેરીઓ તથા સંસ્થાઓને જોડવા અને સિંહ વિશે ગેરસમજ દૂર કરવા તથા જાગૃતિ અને સાવચેતી માર્ગદર્શન આપવા સંદર્ભે આ બેઠકમાં ચર્ચા થઈ.
પ્રારંભે આવકાર અને સંચાલનમાં ભરતભાઈ ગલાણી રહ્યાં હતાં. આ બેઠકમાં વન વિભાગના રાજુભાઈ પરમાર, સામતભાઈ ભમ્મર, પાયલબેન જોષી, નીલમબેન ગોલેતર, વિક્રમભાઈ ચૌહાણ વગેરે સંકલનમાં રહ્યાં હતાં.
ભાવનગર વન વિભાગ અંતર્ગત ભાવનગર, મહુવા, સિહોર, પાલિતાણા, જેસર તથા વલભીપુર કચેરીઓ અંતર્ગત ‘સિંહ દિવસ’ ઉજવણી તૈયારીઓ થઈ રહી છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel