સિહોર પાસે વળાવડ સ્થિત કન્યા વિદ્યાલયમાં કણીરામબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ રજત સપ્તતિ મંગળ પર્વમાં મોરારિબાપુએ કહ્યું કે, વિનોબાજીના મતે શિક્ષણ સંસ્થામાં યોગ, ઉદ્યોગ અને સહયોગ આવશ્યક છે, જે અહીંયા જોવા મળી રહ્યું છે.
લોકસેવા સંસ્થા સંચાલિત કન્યા વિદ્યાલયમાં મોરારિબાપુના અધ્યક્ષસ્થાને યોજાયેલ રજત સપ્તતિ મંગળ પર્વમાં આ સમારંભના ઉદ્ઘાટક તરીકે કણીરામબાપુ રહ્યાં હતાં. સંસ્થાના વડા મેહુરભાઈ લવતુકાની પ્રેરણા સાથેના આ આયોજનમાં વિદ્યાર્થીની પ્રતિભાઓને સન્માનિત કરાયેલ.
સમારંભના અધ્યક્ષ સ્થાને રહેલ મોરારિબાપુએ પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ વ્યક્ત કરી કહ્યું કે, વિનોબાજીના મતે શિક્ષણ સંસ્થામાં યોગ, ઉદ્યોગ અને સહયોગ આવશ્યક છે, જે અહીંયા જોવા મળી રહ્યું છે. મેહુરભાઈ લવતુકાના માર્ગદર્શન સાથે અહીંની કેળવણી પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો.
મોરારિબાપુએ અહીંની કન્યા કેળવણી સંદર્ભે દીકરી કે માતૃશક્તિમાં કીર્તિ, શ્રી, વાગ્ , સ્મૃતિ… વગેરે સાત વિભૂતિઓ રહેલી હોવાનું કહ્યું. સંસ્થામાં વ્યવસ્થા, આસ્થા અને અવસ્થા એ મૂલ્યો હોવાનું ઉમેરી આ સંસ્થા ઉત્તરોત્તર વિકસે તેવી શુભભાવના વ્યક્ત કરી.
આ સમારોહના ઉદ્ઘાટક કણીરામબાપુએ સમાજમાં શિક્ષણનું મહત્વ આ સંસ્થા દ્વારા અપાઈ રહ્યાનું અને વિવિધ ક્ષેત્રમાં રહેલાં સ્થાનનો રાજીપો વ્યક્ત કર્યો. અહીંની વિદ્યાર્થીનીઓને તેમની કારકિર્દી અને જીવન માટે આશિષભાવ જણાવ્યો.
સંસ્થાનાં વડા મેહુરભાઈ લવતુકાએ પ્રારંભે સ્વાગત ઉદ્બોધનમાં અહીંની પ્રારંભિક વાત કરી દીકરી એ તુલસી ક્યારો ગણાવી સતત શિક્ષણ સાથે વિવિધ કૌશલ્યમાં મળતાં ઊજળા પરિણામોનો હરખ વ્યક્ત કર્યો. સંસ્થા સ્થાપનામાં રહેલાં સ્વર્ગીય ભૂધરદાદાનું સ્મરણ પણ કર્યું.
દાતા રસિકભાઈ દોશી તરફથી જેમ્સ ઈનમાર્કો ઓડિટોરિયમ અને દાતા નિકુંજભાઈ કાપડિયા પરિવાર તરફથી માલુબા લાઇબ્રેરીનું ઉદ્ઘાટન અહીંયા કરવામાં આવ્યું.
સમારોહમાં મેહુરભાઈ લવતુકાની ૭૦મી વર્ષગાંઠ સપ્તતી મંગળ પર્વ ઉજવણી નિમિત્તે તેઓનું વિશેષ અભિવાદન થયું અને ‘શેઠની સમર્પણ યાત્રા’ નિર્માણનું વિમોચન થયું.
મહેશભાઈ ગઢવીના સંચાલન અને સંસ્થાનાં અગ્રણીઓ પ્રવિણભાઈ લવતુકા, અમિતભાઈ લવતુકા, શંકરભાઈ વાધવાણી અને આચાર્ય અમીનભાઈ ચૌહાણના સંકલન સાથે અહીંયા આ સમારોહમાં કવાયત તથા વિવિધ રંગદર્શી કાર્યક્રમો પ્રસ્તુત થયાં હતા.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, અમરા આતા, માલજીભાઈ દેસાઈ, નિરુપમ નાણાવટી, અરુણભાઈ દવે, નલીનભાઈ પંડિત, નાનુભાઈ વાઘાણી, દિગ્વિજયસિંહ ગોહિલ, પ્રવિણભાઈ રાઠોડ, કિશોરસિંહ ગોહિલ, રઘુભાઈ આહિર, અમરશીભાઈ ખાંભલ્યા, ભરતભાઈ બુધેલિયા, રત્નાભાઈ રબારી, સહિત મહાનુભાવો અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel