લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાન સાથે પૂર્વ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાશે. આગામી શનિવારે વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આયોજન થયેલ છે.
ગોહિલવાડની સુપ્રસિધ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠના પ્રણેતા, ગાંધીવિચારના પ્રણેતા, કેળવણીકાર અને શીલભદ્ર સાહિત્યસર્જક મનુભાઈ પંચોળી ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા આગામી શનિવારે યોજાશે. અહીંયા લેખિકા અને અભ્યાસુ અધ્યાપિકા શરીફાબેન વીજળીવાળા ‘સાહિત્ય અને સમાજ’ વિષય ઉપર વ્યાખ્યાન આપશે.
મનુભાઈ પંચોળી ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત આ ત્રેવીસમાં મણકાના વ્યાખ્યાન સાથે અહીંયા પૂર્વ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાશે, જેમાં પ્રાકૃતિક ખેતી અને આરોગ્ય માટે મૂળજીભાઈ ભલાણી, બાળ સાહિત્ય માટે વાસુદેવભાઈ સોઢા, શિક્ષણ માટે બળવંતભાઈ તેજાણી અને ગ્રામવિકાસ માટે શ્રી જયેશભાઈ રાવળ સન્માનિત થશે.
શનિવાર તા.૨૯ સવારે યોજાનાર આ કાર્યક્રમ માટે સંસ્થા પરિવારનાં વડા રઘુવીરભાઈ ચૌધરી, અરુણભાઈ દવે, રાજેન્દ્રભાઈ ખીમાણી અને હસમુખભાઈ દેવમુરારિ સંકલનમાં રહ્યાં છે. વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ આયોજન થયેલ છે, જેની તૈયારીઓ ચાલી રહી છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel