બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મર પોતાના બે દિવસીય ભારત પ્રવાસના બીજા દિવસે આજે મુંબઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળ્યા હતા, જ્યાં બંને નેતાઓ વચ્ચે વ્યાપક અને મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ. આ બેઠક દરમિયાન વેપાર, સંરક્ષણ, સુરક્ષા, શિક્ષણ અને મહત્વપૂર્ણ ટેકનોલોજી ક્ષેત્રોમાં ભારત-યુકે ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા થઈ. બંને દેશોના નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓએ લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
વડાપ્રધાન મોદીએ બ્રિટિશ વડા પ્રધાન સ્ટાર્મરનું સ્વાગત કરતા કહ્યું કે, “હું પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરનું ભારતના બીજા દિવસે હાર્દિક સ્વાગત કરું છું. તેમના નેતૃત્વ હેઠળ ભારત-યુકે સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આ વર્ષે જુલાઈમાં મારી યુકે મુલાકાત દરમિયાન અમે ઐતિહાસિક વ્યાપક આર્થિક અને વેપાર કરાર (Comprehensive Economic Partnership Agreement – CEPA) પર નોંધપાત્ર પ્રગતિ કરી હતી.”
#WATCH | Maharashtra: PM Narendra Modi meets UK PM Keir Starmer, at Raj Bhavan in Mumbai.
(Video: ANI/DD News) pic.twitter.com/bW0pAWkPNd
— ANI (@ANI) October 9, 2025
ચર્ચા દરમિયાન બંને દેશોએ શિક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, “પ્રધાનમંત્રી સ્ટાર્મર સાથે ભારત આવ્યા છે તેવું અત્યાર સુધીનું સૌથી મોટું અને પ્રભાવશાળી શિક્ષણ પ્રતિનિધિમંડળ છે. આ ખૂબ આનંદની વાત છે કે હવે નવ બ્રિટિશ યુનિવર્સિટીઓ ભારતમાં પોતાના કેમ્પસ શરૂ કરવા જઈ રહી છે. તાજેતરમાં સાઉથમ્પ્ટન યુનિવર્સિટીના ગુરુગ્રામ કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓની પ્રથમ બેચે નોંધણી પણ કરાવી દીધી છે.” આ પગલું બંને દેશો વચ્ચેના શૈક્ષણિક અને સંશોધન સંબંધોને નવી દિશા આપશે.
વડાપ્રધાન મોદીએ આગળ જણાવ્યું કે ભારત અને યુકે વચ્ચે મહત્વપૂર્ણ ખનિજો અને સપ્લાય ચેઇન સહકાર માટે “ઇન્ડસ્ટ્રી ગિલ્ડ અને સપ્લાય ચેઇન ઓબ્ઝર્વેટરી” સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનું ઉપગ્રહ કેન્દ્ર ISM ધનબાદ ખાતે રહેશે. આ સહયોગ ખનિજ ક્ષેત્રમાં ટેકનોલોજીકલ વિકાસ, સંશોધન અને સપ્લાય નેટવર્ક મજબૂત કરવા માટે ઉપયોગી સાબિત થશે.
#WATCH | PM Narendra Modi and UK PM Keir Starmer hold a meeting in Mumbai, Maharashtra.
(Video: ANI/DD News) pic.twitter.com/RP5VCXKUMw
— ANI (@ANI) October 9, 2025
આ બેઠકમાં બંને નેતાઓએ વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, “અમે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે સંવાદ જરૂરી છે. યુક્રેન સંઘર્ષ અને ગાઝાના માનવીય સંકટને લઇને ભારત સતત રાજદ્વારી અને સંવાદ દ્વારા શાંતિ પુનઃસ્થાપિત કરવાની દિશામાં પ્રયત્નશીલ છે.”
મોદીએ જણાવ્યું કે ભારત અને યુકે કુદરતી ભાગીદારો (Natural Partners) છે, કારણ કે બંને દેશોના સંબંધો લોકશાહી, સ્વતંત્રતા, કાયદાનું શાસન અને માનવ અધિકાર જેવા મૂળભૂત મૂલ્યો પર આધારિત છે. તેમણે ઉમેર્યું કે, “વૈશ્વિક અસ્થિરતાના આ યુગમાં ભારત અને યુકે વચ્ચેની ભાગીદારી વિશ્વમાં સ્થિરતા અને આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ આધારસ્તંભ બની શકે છે.”
Addressing the joint press meet with UK PM @Keir_Starmer. https://t.co/jY20THk1kv
— Narendra Modi (@narendramodi) October 9, 2025
વડાપ્રધાન સ્ટાર્મરે પણ ભારતની ઝડપી આર્થિક વૃદ્ધિ, વૈશ્વિક કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી ક્ષેત્રમાં નવીનતા માટે પ્રશંસા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ભારત-યુકે ભાગીદારી હવે માત્ર વેપાર સુધી મર્યાદિત નથી, પરંતુ વૈશ્વિક પડકારો સામે સહયોગી અભિગમ તરફ આગળ વધી રહી છે.
ચર્ચાના અંતે બંને દેશોએ સંયુક્ત પ્રેસ નિવેદન જારી કરીને જણાવ્યું કે ભારત અને યુકે વચ્ચે સંરક્ષણ ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), સાયબર સુરક્ષા, સ્વચ્છ ઉર્જા અને મહત્વપૂર્ણ ખનિજો જેવા ક્ષેત્રોમાં સહકાર વધુ ગાઢ બનશે. સાથે જ, બંને નેતાઓએ સંકેત આપ્યો કે આગામી મહિનાઓમાં દ્વિપક્ષીય વેપાર કરાર (FTA) પૂર્ણ થવાની સંભાવના છે, જે બંને દેશોની આર્થિક વૃદ્ધિ માટે એક નવી દિશા આપશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel