ઉત્તર પ્રદેશ ફાર્મા કોન્ક્લેવ 1.0 દરમિયાન બોલતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એન્કાઉન્ટર મુદ્દે પોતાની સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. હાઈકોર્ટ દ્વારા એન્કાઉન્ટર મામલે ફટકાર મળ્યા બાદ CM યોગીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ દરેક માટે સમાન રીતે લાગુ કરવામાં આવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જો સરકારનો પોતાનો કોઈ વ્યક્તિ પણ કાયદો તોડે, તો તેના પર પણ એ જ કાર્યવાહી કરવામાં આવશે જે માફિયા અને ગુનેગારો સામે થાય છે. અહીં કોઈ પોતાનું કે પારકું નથી.
'पुलिस गोली न मारे तो क्या गोली खाए ?'
: एनकाउंटर पर CM योगी आदित्यनाथ
सीएम योगी आदित्यनाथ ने एनकाउंटर पर कहा कि जब किसी अपराधी में कानून का डर नहीं होता, तब उसे कानून के दायरे में लाना तात्कालिक ज़रूरत बन जाती है।
बहुत बार लोग टिप्पणी करते हैं कि पुलिस गोली क्यों मार दी..अगर… pic.twitter.com/743Nw93JzN
— One India News (@oneindianewscom) February 3, 2026
CM યોગી આદિત્યનાથે જણાવ્યું કે રાજ્યમાં લેવામાં આવતી દરેક કાર્યવાહી કાયદાના દાયરામાં રહીને કરવામાં આવે છે. પરંતુ કેટલીક વખત એવી પરિસ્થિતિ ઊભી થાય છે જ્યારે સામેની વ્યક્તિ કાયદાનો કોઈ ડર રાખતી નથી. આવી સ્થિતિમાં તેને કાયદાની ભાષામાં સમજાવવી એ સમયની જરૂરિયાત બની જાય છે. તેમણે સવાલ કર્યો કે જ્યારે ગુનેગાર ગોળી ચલાવવાની હિંમત રાખે છે, ત્યારે પોલીસ ગોળી ન મારે તો શું ગોળી ખાય?
उत्तर प्रदेश में Rule of Law है,
यहां कानून के साथ खिलवाड़ करने की छूट किसी को नहीं है… pic.twitter.com/GdTHkDCiN7
— Yogi Adityanath (@myogiadityanath) February 3, 2026
મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પોલીસને પિસ્તોલ શોભા માટે આપવામાં આવતી નથી. જો ગુનેગાર પાસે હથિયાર ચલાવવાની સ્વતંત્રતા છે, તો પોલીસને પણ આત્મરક્ષાના હક્ક તરીકે હથિયાર આપવામાં આવ્યા છે. યોગી આદિત્યનાથે જણાવ્યું કે ઘણી વખત ગુનેગારોને તેઓ જે ભાષામાં સમજે, તે જ ભાષામાં સમજાવવું પડે છે, ત્યારે જ પરિણામ મળે છે.
हम लोग लखनऊ में एक बेहतरीन वर्ल्ड क्लास फार्मा इंस्टीट्यूट के निर्माण की दिशा में आगे बढ़ रहे हैं… pic.twitter.com/fZi7385Hb8
— Yogi Adityanath (@myogiadityanath) February 3, 2026
CM યોગીએ ઉત્તર પ્રદેશની જૂની સ્થિતિ યાદ કરતાં કહ્યું કે વર્ષ 2012 થી 2017 દરમિયાન રાજ્યમાં 900થી વધુ રમખાણો થયા હતા. લગભગ દરેક શહેરમાં ક્યારેક ને ક્યારેક કર્ફ્યુ લાગતો હતો. તે સમયગાળામાં એવો કોઈ ઉદ્યોગપતિ, ડૉક્ટર કે વેપારી નહોતો જેને ‘ગુંડા ટેક્સ’ ન આપવો પડ્યો હોય. રાજ્યમાં ભય અને અરાજકતાનું વાતાવરણ હતું.
યોગી આદિત્યનાથે જણાવ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને રાજ્યની જવાબદારી સોંપી, ત્યારે સૌથી મોટો પડકાર હતો – સામાન્ય નાગરિકમાં વિશ્વાસ જગાડવાનો. આ માટે સરકારે પસંદગીના લોકો પર નહીં, પરંતુ સૌ પર સમાન રીતે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અમલમાં મૂકી. તેમણે ફરી સ્પષ્ટ કર્યું કે સરકારનો પોતાનો માણસ પણ ખોટું કરશે તો તેને છોડવામાં નહીં આવે.
उत्तर प्रदेश अपने हर निवेशक को ट्रिपल-S (Safety, Stability and Speed) की गारंटी देता है… pic.twitter.com/Ls9MjclWhq
— Yogi Adityanath (@myogiadityanath) February 3, 2026
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે છેલ્લા 9 વર્ષમાં ઉત્તર પ્રદેશમાં મોટા સકારાત્મક ફેરફાર થયા છે. આજે રાજ્યમાં શાંતિપૂર્ણ વાતાવરણ છે. ખંડણી, રમખાણો, અરાજકતા અને ગેરરીતિઓ હવે ભૂતકાળ બની ગઈ છે. હાલ ઉત્તર પ્રદેશ દેશનું એક શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બની ગયું છે અને રોકાણકારોની પહેલી પસંદ તરીકે ઉભરી આવ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel