કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર જાહેર નાણાંના દુરુપયોગના ગંભીર આરોપો લાગ્યા છે. આરોપ છે કે રાજ્ય સરકાર કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે સંકળાયેલા અખબાર નેશનલ હેરાલ્ડને જાહેરાતોના બહાને અસામાન્ય અને અયોગ્ય નાણાકીય લાભ આપી રહી છે. સરકારી દસ્તાવેજો અનુસાર, કર્ણાટકમાં નેશનલ હેરાલ્ડની રીડરશિપ લગભગ શૂન્ય છે અને તેનું સર્ક્યુલેશન પણ નગણ્ય છે, છતાં તેને રાષ્ટ્રીય અખબારોની શ્રેણીમાં સૌથી વધુ જાહેરાત ફંડ આપવામાં આવ્યું છે, જે અનેક સવાલો ઊભા કરે છે.
આંકડાઓ દર્શાવે છે કે 2023-24 નાણાકીય વર્ષમાં કર્ણાટક સરકારે નેશનલ હેરાલ્ડને આશરે ₹1.90 કરોડની જાહેરાત ફાળવી હતી, જ્યારે 2024-25માં આ રકમ લગભગ ₹90.9 લાખ રહી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે રાષ્ટ્રીય અખબારો માટે ફાળવાયેલા કુલ ₹1.42 કરોડના જાહેરાત બજેટમાંથી લગભગ 69 ટકા હિસ્સો માત્ર નેશનલ હેરાલ્ડને જ આપવામાં આવ્યો હતો. આ બધું ત્યારે થયું છે જ્યારે રાજ્યમાં અખબારનું કોઈ ખાસ વાચકવર્ગ નથી.
ઉલ્લેખનીય છે કે નેશનલ હેરાલ્ડ પહેલેથી જ મોટા વિવાદોમાં ફસાયેલું છે. તેની પેરન્ટ કંપની એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આરોપી છે અને આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તપાસ ચલાવી રહી છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા AJL સાથે સંકળાયેલા અખબારને સરકારી જાહેરાતો દ્વારા નાણાં આપવાનું રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ બન્યું છે.
આ મુદ્દે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના નેતા અમિત માલવિયાએ X પર આંકડાઓ શેર કરતાં આરોપ લગાવ્યો કે, કર્ણાટકની કોંગ્રેસ સરકાર કરદાતાઓના નાણાંનો ઉપયોગ બંધ થઈ ગયેલા અથવા નામમાત્ર પ્રચલન ધરાવતા પ્રકાશનને જીવંત રાખવા અને ગાંધી પરિવારની વૈભવી જીવનશૈલીને પરોક્ષ રીતે ફંડ કરવા માટે કરી રહી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના વારંવારના વિદેશ પ્રવાસો અને ફર્સ્ટ ક્લાસ મુસાફરીનો ખર્ચ ક્યાંથી આવે છે તેનો જવાબ આ પ્રકારની સરકારી જાહેરાતોમાં છુપાયેલો છે.
National Herald, with virtually no presence or readership in Karnataka, has emerged as the single biggest beneficiary of the Karnataka government’s advertisement spend.
The data reveals that ₹1.90 crore was allotted to National Herald in 2023–24, followed by nearly ₹1 crore in… pic.twitter.com/gqh8UaLPdO
— Amit Malviya (@amitmalviya) January 9, 2026
આ સાથે કર્ણાટકના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. સી.એન. અશ્વથ નારાયણએ પણ સવાલ ઉઠાવ્યો છે કે, જે અખબારનું ન તો કર્ણાટકમાં અને ન તો દેશમાં કોઈ નોંધપાત્ર પ્રચલન છે, તેને સરકારી નાણાં કેમ આપવામાં આવી રહ્યા છે? અને જે સંસ્થા પહેલેથી જ ગંભીર નાણાકીય તપાસ હેઠળ છે, તેને સરકાર દ્વારા ભંડોળ આપવાનો શું તર્ક છે?
ભાજપે હવે સિદ્ધારમૈયા સરકારને જાહેરાત ફાળવણીના ધોરણો જાહેર કરવાની અને સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. આ મુદ્દો હવે માત્ર નાણાકીય નહીં પરંતુ રાજકીય અને નૈતિક પ્રશ્ન તરીકે પણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel