વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે ‘આતંકવાદી’ જેવા શબ્દો વાપરવાના મુદ્દે મલ્લિકાર્જુન ખડગે વિવાદમાં આવ્યા છે. આ મામલે ચૂંટણી પંચએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને નોટિસ પાઠવી છે અને 24 કલાકમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે.
ભાજપના પ્રતિનિધિમંડળે કરી હતી ફરિયાદ
આ પહેલાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ—નિર્મલા સીતારામન, કિરેન રિજિજુ અને અર્જુન રામ મેઘવાલ સહિતના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચને મળી ખડગેની ટિપ્પણી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તે બાદ ચૂંટણી પંચે સત્તાવાર રીતે નોટિસ પાઠવી છે.
શું કહ્યું હતું ખડગેએ?
ખડગેએ તમિલનાડુમાં પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન AIADMK અને ભાજપના ગઠબંધન પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે,
AIADMK કેવી રીતે મોદી સાથે જોડાઈ શકે? તેઓ ‘આતંકવાદી’ છે અને તેમની પાર્ટી સમાનતા અને ન્યાયમાં વિશ્વાસ રાખતી નથી.
આ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો હતો.
Election Commission of India takes note of Congress National President Mallikarjun Kharge calling PM Narendra Modi a “Terrorist” and issues a notice to Kharge to explain his stand within 24 Hrs
The notice reads, "Whereas, the Commission is prima facie of the opinion that… pic.twitter.com/H7xaWWb6pw
— ANI (@ANI) April 22, 2026
નિવેદન પર ફેરફાર અને સ્પષ્ટતા
વિવાદ વધતા ખડગેએ બાદમાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે તેમનો અર્થ વડાપ્રધાનને ‘આતંકવાદી’ કહેવાનો નહોતો, પરંતુ તેઓ લોકો અને રાજકીય પાર્ટીઓને ‘આતંકિત’ કરી રહ્યા છે તેવો હતો.
જોકે, વિરોધ પક્ષો આ સ્પષ્ટતાથી સંતુષ્ટ નથી.
ભાજપનો કડક વિરોધ
ખડગેના નિવેદન પર ગૃહ પ્રધાન અમિત શાહએ કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે જે વ્યક્તિએ આતંકવાદ વિરુદ્ધ લડત આપી હોય, તેને આતંકવાદી કહેવું ગંભીર બાબત છે.
શાહે આ નિવેદનને અયોગ્ય ગણાવ્યું અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું.
આ પહેલાં ખડગેએ કેરળમાં એક સભા દરમિયાન ગુજરાતીઓ અંગે કરેલી ટિપ્પણી પણ વિવાદમાં આવી હતી, જેના કારણે તેમને ખેદ વ્યક્ત કરવો પડ્યો હતો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel