ગુજરાતના વહીવટી તંત્રમાંથી એક મોટું અને મહત્વનું અપડેટ સામે આવ્યું છે. નિવૃત્ત વરિષ્ઠ IAS અધિકારી અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોષીને ગુજરાત વીજ નિયમન પંચ (GERC)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે તેની સત્તાવાર જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે પંકજ જોષી કાર્યભાર સંભાળશે તે દિવસથી તેમની નિમણૂક અમલમાં આવશે.
GERC રાજ્યના વીજ ક્ષેત્ર માટે એક મુખ્ય નિયમનકારી સંસ્થા છે, જે વીજળીના દરો (ટેરિફ) નક્કી કરવાની સાથે-સાથે ડિસ્કોમ્સ અને વીજ કંપનીઓના વહીવટ અને કામગીરી પર દેખરેખ રાખે છે. તેમજ રાજ્યના સમગ્ર ઊર્જા ક્ષેત્રમાં પારદર્શિતા જાળવવાની જવાબદારી પણ આ પંચ નિભાવે છે.
પંકજ જોષી 1989 બેચના IAS અધિકારી છે અને તેમણે લાંબા સમય સુધી ગુજરાત સરકારના વિવિધ મહત્વના વિભાગોમાં સેવા આપી છે. તેઓ મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં અધિક મુખ્ય સચિવ (ACS) તરીકે કાર્યરત રહ્યા હતા. તેઓ ઓક્ટોબર 2025માં મુખ્ય સચિવ પદેથી નિવૃત્ત થયા હતા. પોતાના લાંબા કારકિર્દીમાં તેમણે ઊર્જા, મહેસૂલ, શહેરી વિકાસ, શિક્ષણ જેવા મહત્વના વિભાગોને સંભાળ્યા છે.
આ નિમણૂકથી રાજ્યના ઊર્જા ક્ષેત્રમાં વધુ સુવ્યવસ્થિત વહીવટ અને નીતિગત પારદર્શિતા વધશે, એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel