ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ફરી એકવાર પોતાની સાદગી અને ગ્રામ્ય જીવન પ્રત્યેના લગાવથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે ઉત્તમપુરા (ડાંગીયા) પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કરીને સરળ અને સહજ જીવનશૈલીનો અનોખો સંદેશ આપ્યો હતો. કોઈપણ પ્રકારના વૈભવ કે વિશેષ વ્યવસ્થા વિના વિતાવેલી આ રાત્રિએ સ્થાનિક સમાજ અને શાળાના વિદ્યાર્થીઓમાં આત્મીયતા અને પ્રેરણા જગાવી છે.
રાત્રિ રોકાણ બાદ વહેલી સવારે રાજ્યપાલશ્રીએ શાળાના મેદાનમાં વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો હતો. તેમણે પોતે વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કરીને બાળકોને યોગના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલની હાજરીથી વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓએ આ ક્ષણને યાદગાર બનાવી.
बनासकांठा प्रवास के दौरान उत्तमपुरा-डांगिया प्राथमिक विद्यालय के साधारण कक्ष में रात्रि विश्राम करना मेरे लिए अत्यंत सुखद अनुभव रहा। ग्रामीण जीवन की सहजता और विद्यालय के इस पवित्र वातावरण ने मन को शांति और आत्मीयता से भर दिया।
प्रातः काल विद्यालय के नन्हे विद्यार्थियों के साथ… pic.twitter.com/m1DeGDGCd0
— Acharya Devvrat (@ADevvrat) March 17, 2026
વિદ્યાર્થીઓને સંબોધતા રાજ્યપાલે જણાવ્યું કે યોગ માત્ર શરીર માટે જ નહીં પરંતુ મન અને આત્મા માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. નિયમિત યોગાભ્યાસથી એકાગ્રતા વધે છે, રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે. તેમણે દરેક વિદ્યાર્થીને યોગને પોતાની દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકગણ, સ્થાનિક અધિકારીઓ અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના સર્વોચ્ચ પદ પર હોવા છતાં રાજ્યપાલશ્રીએ જે રીતે સામાન્ય વ્યક્તિની જેમ શાળામાં રહીને વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવ્યો, તે સમગ્ર વિસ્તારમાં પ્રશંસાનું કારણ બન્યું છે. વિદ્યાર્થીઓએ રાજ્યપાલ સાથે યોગ શીખવાની તકને અનોખો અને પ્રેરણાદાયી અનુભવ ગણાવ્યો હતો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel