નર્મદા જિલ્લામાં વિકાસને ગતિ આપવા તથા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે દેવાલિયા જિલ્લા પંચાયત વિસ્તારના ઉચાદ ગામે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી અર્જુનભાઈ ચૌધરી અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલભાઈ રાવની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવી તેમજ આગેવાન વલ્લભભાઈ જોશી સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો, તિલકવાડા મંડળના પ્રમુખ અને મહામંત્રીઓ, વિવિધ મોરચાના પ્રમુખો, શક્તિકેન્દ્ર સંયોજકો, બૂથ પ્રમુખો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આગેવાનો દ્વારા સંગઠનને વધુ સશક્ત બનાવવા અને સરકારના વિકાસ કાર્યોને અંતિમ છોર સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યકર્તાઓને આગામી સમયમાં વધુ સક્રિય રહીને જનસંપર્ક વધારવા તથા સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
બેઠક અંતે કાર્યકર્તાઓએ “છેવાડા સુધી વિકાસ”ના સંકલ્પ સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel