ગુજરાતના પોરબંદર નજીક આવેલા માધવપુરમાં યોજાતા પ્રસિદ્ધ માધવપુર મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. આ અવસરે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ માધવપુરવાસીઓ અને મેળામાં ઉપસ્થિત તમામ લોકોને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે આ મેળો માત્ર ધાર્મિક ઉત્સવ નથી પરંતુ દેશની સાંસ્કૃતિક એકતાનું જીવંત પ્રતીક છે.
મંત્રીએ દ્વારકા થી સોમનાથ સુધીના દરિયાઈ પટ્ટી પર આવેલા ધાર્મિક અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને બિરદાવતા જણાવ્યું કે આ વિસ્તાર હવે વિકાસ અને આસ્થાના સંગમ તરીકે ઉભરી રહ્યો છે. દ્વારકા અને સોમનાથ વચ્ચે આવેલ માધવપુર પણ હવે વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે.
સાંસ્કૃતિક વારસો અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક
માધવપુરનો મેળો ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રુક્મિણીજીના વૈવાહિક પ્રસંગને યાદ કરીને ઉજવવામાં આવે છે. આ મેળો પૂર્વ અને પશ્ચિમ ભારતના સાંસ્કૃતિક મિલનનું અનોખું ઉદાહરણ છે. ઉત્તર-પૂર્વીય રાજ્યોની સંસ્કૃતિ અને ગુજરાતની પરંપરાનો સંગમ અહીં જોવા મળે છે, જે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને જીવંત બનાવે છે.
વર્ષ 2018થી આ મેળાને રાષ્ટ્રીય સ્તરનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેના કારણે પ્રવાસન ક્ષેત્રમાં વૃદ્ધિ થઈ છે અને સ્થાનિક લોકોને રોજગારીના નવા અવસર મળ્યા છે. આજે આ મેળો માત્ર સ્થાનિક નથી રહ્યો પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી રહ્યો છે.
Madhavpur Fair 2026 begins with रंग, संस्कृति और एकता!
From the rhythmic beats of the North East to the vibrant spirit of Gujarat, the evening turned into a beautiful confluence of cultures, truly reflecting Ek Bharat, Shreshtha Bharat.
📍 Madhavpur Ghed, Porbandar
🗓️ 27th–31st… pic.twitter.com/Bv79EuBD8V
— Harsh Sanghavi (@sanghaviharsh) March 28, 2026
વિકાસ પ્રોજેક્ટ્સથી વધશે પર્યટન અને રોજગારી
માધવપુર અને આસપાસના વિસ્તારોમાં અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. કર્લી મોકર સાગર ખાતે આશરે ₹200 કરોડના ખર્ચે પક્ષી અભયારણ્ય અને પોરબંદર નજીક રંગબાઈ માતાના મંદિર પાસે સાંસ્કૃતિક વનનું નિર્માણ થઈ રહ્યું છે. ઉપરાંત સુદામા મંદિર અને કીર્તિ મંદિર જેવા પ્રોજેક્ટ્સ પણ વિકસિત થઈ રહ્યા છે.
મૂળ દ્વારકા થી હર્ષદ માતાના મંદિર સુધી 11 કિલોમીટર લાંબા બીચ ડેવલપમેન્ટની યોજના પણ હાથ ધરવામાં આવી છે. આ તમામ પ્રોજેક્ટ્સ સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવશે અને રોજગારીની નવી તકો ઊભી કરશે.
માધવપુર બનશે વૈશ્વિક પર્યટન કેન્દ્ર
મંત્રીએ જણાવ્યું કે જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ અને કચ્છનું રણોત્સવ એ વૈશ્વિક ઓળખ બનાવી છે, તેમ માધવપુર પણ આગામી સમયમાં વિશ્વના નકશા પર મહત્વપૂર્ણ સ્થાન મેળવશે. બરડા ડુંગર વિસ્તારમાં લાયન સેન્ચુરીના વિકાસથી પણ પર્યટનમાં વધારો થવાની સંભાવના છે.
‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નો જીવંત અનુભવ
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ વિડિયો સંદેશમાં જણાવ્યું કે માધવપુર મેળો માત્ર એક ઉત્સવ નથી, પરંતુ જીવંત પરંપરા છે જ્યાં ભારત પોતાની અસલી ઓળખ સાથે દેખાય છે. તેમણે નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ વિઝનને યાદ કરીને કહ્યું કે આ મેળો દેશની વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
આ મેળામાં ઉત્તર-પૂર્વીય રાજ્યોના 270 અને ગુજરાતના 270 કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરે છે, જે સાંસ્કૃતિક એકતાનો અદભૂત દૃશ્ય સર્જે છે.
વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ
રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં માધવપુરના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરી રહી છે. અત્યાર સુધીમાં રૂ. 47 કરોડના ખર્ચે રૂક્ષ્મિણીજી મંદિર, ચોરી માયરા અને બીચ ડેવલપમેન્ટના કામો પૂર્ણ થયા છે. આગામી ફેઝ-2માં રૂ. 43 કરોડના ખર્ચે માધવરાય મંદિરના વિકાસની યોજના છે.
આ પ્રસંગે અનેક રાજકીય આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ આ મેળાને સફળ બનાવવા માટે સહકાર આપ્યો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel