ગુજરાતમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે મહત્વપૂર્ણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) હસ્તાક્ષર થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સુવિધા વધુ સુલભ બનાવવા માટે પગલાં લેવાયા છે. એમઓયુ સાયટ પર વિડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલ પણ જોડાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્યની દરેક ખૂણે સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવું સરકારની પ્રાથમિકતા છે. તેમણે ઉમેર્યું કે આ MoU રાજ્યના ગ્રામ્ય જનજીવનના ગુણાત્મક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને કેન્દ્રની તમામ યોજનાઓના સફળ અમલીકરણને મજબૂત બનાવશે. આ MoU રાજ્યના ગ્રામ્ય વિકાસમાં એક માઈલસ્ટોન તરીકે કામ કરશે.
માન. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને કેન્દ્રના પેયજળ… pic.twitter.com/RmvAyTkFJU
— Gujarat Information (@InfoGujarat) March 20, 2026
હર ઘર જલ – પાણીનું સુલભીકરણ
જલ જીવન મિશનનું આરંભ 15 ઓગસ્ટ 2019માં “હર ઘર જલ”ના સંકલ્પ સાથે કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ દરેક ગ્રામ્ય ઘરમાં નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવાનો ઉદ્દેશ હતો, જે ગુજરાતે ઓક્ટોબર 2022 સુધીમાં સફળતાપૂર્વક હાંસલ કર્યું. જલ જીવન મિશન 2.0 અંતર્ગત 2028 સુધી પાણી પુરવઠા વ્યવસ્થાનું મજબૂતીકરણ, નિયમિતતા અને સસ્ટેનેબિલિટી સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ્ય છે.
જનજાગૃતિ અને પરિવર્તન માટેના પ્રયાસો
આ MoU અંતર્ગત રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે.
-
વિલેજ વોટર એન્ડ સેનિટેશન કમિટીઓ (VWSC) દ્વારા પાણી વ્યવસ્થાનું સંચાલન
-
પાણી સ્ત્રોતોની લાંબા ગાળાની સુરક્ષા
-
‘સુજલમ ભારત’ અને ‘પીએમ ગતિશક્તિ‘ પ્લેટફોર્મ દ્વારા ડિજિટલ મોનીટરીંગ અને પારદર્શિતા
-
‘નલ જલ મિત્ર’ પ્રોજેક્ટ અને જલ ઉત્સવ જેવા જનજાગૃતિ અભિયાનો
કેન્દ્ર અને રાજ્યની જવાબદારીઓ
કેન્દ્ર સરકાર માર્ગદર્શન, ફંડિંગ અને મોનીટરીંગ સુનિશ્ચિત કરશે, જ્યારે રાજ્ય સરકાર અમલીકરણ, નીતિ સુધારા અને ટેકનિકલ સપોર્ટની જવાબદારી નિભાવશે. આ પ્રસંગે કેન્દ્ર તરફથી ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકીંગ વોટર એન્ડ સેનિટેશનના સચિવ અશોક મીણા, અને રાજ્ય તરફથી પાણી પુરવઠાના અગ્ર સચિવ શાહમીના હુસેન, મુખ્ય ઈજનેર સર્વ નીરવ સોલંકી, કુ. ધરા વ્યાસ અને ભાવિક રાઠોડ વીડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા.
આ મહત્વપૂર્ણ પગલાં ગુજરાતમાં સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી દરેક ઘરમાં પહોંચાડવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે અને ગ્રામ્ય વિસ્તારોના જીવન સ્તર ઉન્નત કરશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel