ઈશ્વરિયામાં ગોહિલ પરિવાર દ્વારા જ્યોતપાઠ, નવચંડી યજ્ઞ સાથે ધર્મસભા યોજાયેલ, જેમાં સનાતન ધર્મના આપણાં ઈષ્ટદેવને ન ભૂલવા કણિરામજીબાપુનો સમાજને અનુરોધ થયો.
ગોહિલવાડનાં ઈશ્વરિયા ગામમાં રબારી ગોહિલ પરિવાર દ્વારા ઈષ્ટદેવ વડવાળા દેવની આસ્થા સાથે ૩૩ જ્યોત પાઠ, નવચંડી યજ્ઞ અને ઉત્સાહ સાથે સંતોના સામૈયા અને ધર્મસભા યોજાયેલ.
ધર્મસભામાં કણિરામજીબાપુએ આશીર્વાદ ઉદ્બોધનમાં કહ્યું કે, માતા પિતાની સેવા સાથે નીતિ ધર્મ જાળવી રાખવો, આપણાં સુખદુઃખ માટે પરમાત્મા નહી પણ આપણાં કર્મ નિર્ણાયક હોય છે. સનાતન ધર્મના આપણાં ઈષ્ટદેવને ન ભૂલવા ભારપૂર્વક કણિરામજીબાપુનો સમાજને અનુરોધ થયો. આ સાથે ગામની એકતાને બિરદાવી.
આ પ્રસંગે સંતો નાગરદાસબાપુ, મૈયારામબાપુ, ભગવતીદાસબાપુ, જયકિશનદાસબાપુ અને હરિચરનદાસબાપુની આશિષ ઉપસ્થિતિ રહી.
ઈશ્વરિયા, રામધરી, કાંટોડિયા, નેસડા, સિહોર, ભાવનગર, સુરત, સખવદર અને ખીજડિયાના ગોહિલ પરિવારજનોના આયોજન સાથે આ કાર્યક્રમમાં મેહુરભાઈ લવતુકા, અમરશીભાઈ ખાંભલ્યા, ભગવાનભાઈ મકવાણા અને ગોકુળભાઈ આલ દ્વારા પ્રાસંગિક વાત સાથે આ ધર્મ અને સમાજના કાર્યની પ્રશંસા થઈ હતી. અહીંયા અગ્રણીઓ અશોકભાઈ ઉલવા, રાકેશભાઈ શેલાણા, કમલેશભાઈ ઉલવા, કાળુભાઈ ભીકડિયા, વીરશંગભાઈ સોલંકી, શંભુભાઈ નાકરાણી વગેરેની ઉપસ્થિતિ રહી. કાર્યક્રમ સંચાલનમાં મૂકેશ પંડિત સાથે વિપુલ ગોહિલ રહેલ.
ભુવા ભરતભાઈ ગોહિલ તથા મેહુરભાઈ ગોહિલનાં સંકલન સાથે ૩૩ જ્યોત પાઠ, નવચંડી યજ્ઞનો લાભ મળ્યો. ભોજન માટે જશુભાઈ ગોહિલ, મેરાભાઈ ગોહિલ, ઘોહાભાઈ ગોહિલ, જ્યોત માટે વાલાભાઈ ગોહિલ અને દીકરીઓને પહેરામણી માટે જબરાભાઈ ગોહિલનો સહયોગ રહ્યો. આ પ્રસંગે સૌએ ધર્મસભા અને દર્શન સાથે સાંજે ગામધુમાડા બંધ પ્રસાદ લાભ લીધો હતો.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel