ગુજરાતમાં ન્યાયિક પ્રક્રિયાને વધુ આધુનિક, પારદર્શક અને ઝડપી બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટ ખાતે નવા અત્યાધુનિક આર્બિટ્રેશન સેન્ટરના ભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ સૂર્યકાંત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. આ નવું સેન્ટર ગુજરાતમાં કાયદાકીય વિવાદોના ઝડપી અને અસરકારક નિવારણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
કાર્યક્રમ દરમિયાન આર્બિટ્રેશન સેન્ટરના નવા લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું તેમજ કેન્દ્રની રિ-ડિઝાઇન કરાયેલી વેબસાઇટ અને ન્યૂઝલેટરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ ડિજિટલ સુવિધાઓના કારણે પક્ષકારોને ટેકનોલોજીના માધ્યમથી સરળતાથી ન્યાયિક માહિતી અને માર્ગદર્શન મળી શકશે.
LIVE: ગુજરાત હાઈકોર્ટ ખાતે Arbitration Centreનું ભૂમિપૂજન કાર્યક્રમ. https://t.co/nIaVG7nUf3
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 28, 2026
આ પ્રસંગે સુનીતા અગ્રવાલ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ નવું ભવન સ્ટેટ-ઓફ-ધ-આર્ટ સુવિધાઓથી સજ્જ હશે, જેમાં આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના કોન્ફરન્સ રૂમ, મીડિયેશન સેન્ટર અને આધુનિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ રહેશે. આ સેન્ટર શરૂ થતા કોર્ટમાં ચાલી રહેલા કેસોના ભારને ઘટાડવામાં પણ મદદ મળશે.
આ સાથે જ ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરિયમ ખાતે ‘ઇન્સ્ટિટ્યુશનલ આર્બિટ્રેશન એટ અ ક્રોસરોડ્સ: ચેલેન્જીસ એન્ડ ધ વે ફોરવર્ડ’ વિષય પર બે દિવસીય કોન્ફરન્સનો પણ પ્રારંભ થયો છે. આ કોન્ફરન્સ ગુજરાત હાઇકોર્ટ મધ્યસ્થી કેન્દ્ર અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવી છે.
મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતા જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું હતું કે, માત્ર કાયદાના નિયમો પૂરતા નથી, પરંતુ પારદર્શક પ્રક્રિયા દ્વારા પક્ષકારોનો વિશ્વાસ જીતવો પણ એટલું જ જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતને વૈશ્વિક સ્તરે આર્બિટ્રેશન હબ બનાવવા માટે કુશળ આર્બિટ્રેટર્સની તાલીમ અને ગુણવત્તા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.
ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા માનનીય જસ્ટિસ શ્રી સૂર્ય કાંતજીની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત હાઈકોર્ટ ખાતે આયોજિત 'Institutional Arbitration At A Crossroads' વિષય પર આયોજિત બે દિવસીય કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી ન્યાય ક્ષેત્રના મહાનુભાવો સાથે સંવાદનો અવસર પ્રાપ્ત થયો.
આ પ્રસંગે… pic.twitter.com/AV9wYIvczt
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 28, 2026
નવા ભવનમાં અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. તેમાં કુલ 16 આર્બિટ્રેશન કોન્ફરન્સ રૂમ હશે અને દરેક રૂમ સાથે બે બ્રેક-આઉટ રૂમની વ્યવસ્થા કરવામાં આવશે. વિવાદોના સમાધાન માટે 7 અલગ મીડિયેશન રૂમ બનાવવામાં આવશે. ઉપરાંત ‘ઓનલાઇન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન’ (ODR) સિસ્ટમ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેના માધ્યમથી પક્ષકારો દૂર બેઠા પણ ન્યાયિક પ્રક્રિયામાં જોડાઈ શકશે.
આ નવા સેન્ટરના કાર્યરત થવાથી ગુજરાતમાં કાયદાકીય વિવાદોના ઝડપી નિરાકરણ માટે એક સશક્ત પ્લેટફોર્મ તૈયાર થશે. સાથે જ આઉટ-ઓફ-કોર્ટ સેટલમેન્ટ અને આર્બિટ્રેશન પ્રક્રિયાને પણ પ્રોત્સાહન મળશે, જે ન્યાયિક વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ બનશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel