શનિવાર, 28 માર્ચ 2026ના રોજ નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. કે.પી શર્મા ઓલીને તેમના ભક્તપુર સ્થિત ગુંડુ નિવાસસ્થાનેથી પોલીસે અટકાયત કરી છે. તેમની સાથે પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની પણ સૂર્યવિનાયક વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી નવી સરકારના વડા બાલેન શાહએ શપથ લીધાના માત્ર 24 કલાકમાં જ કરવામાં આવતા રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે.
આ ધરપકડ પાછળનું મુખ્ય કારણ સપ્ટેમ્બર 2025માં થયેલા ભીષણ ‘Gen-Z’ વિરોધ પ્રદર્શનો છે. શરૂઆતમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે શરૂ થયેલા આ આંદોલન બાદમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી અને આર્થિક ગેરવ્યવસ્થાના વિરોધમાં દેશવ્યાપી આંદોલનમાં ફેરવાઈ ગયું હતું. આંદોલન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં 70થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં 19 જેટલા યુવાનો અને સગીરોનો સમાવેશ થાય છે.
#WATCH | नेपाल के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को उनके भक्तपुर स्थित गुंडु निवास से नेपाल पुलिस ने हिरासत में ले लिया है।
काठमांडू पोस्ट के अनुसार, उन्हें सितंबर में हुए जेन जेड विरोध प्रदर्शनों के कथित दमन से जुड़े एक लापरवाही से हत्या (culpable homicide) के मामले में… pic.twitter.com/bROpqhDXwS
— One India News (@oneindianewscom) March 28, 2026
તત્કાલીન કે.પી શર્મા ઓલી સરકારના ક્રેકડાઉન દરમિયાન હિંસક અથડામણો વધી જતા દેશમાં રાજકીય સંકટ ઊભું થયું હતું. આ ઘટનાએ સરકારને પતન તરફ ધકેલી દીધી અને અંતે વચગાળાની સરકાર રચવી પડી હતી. હવે નવી સરકારે આ કેસમાં કડક પગલાં લેતા પૂર્વ શાસકોને જવાબદાર ઠેરવવાની પ્રક્રિયા શરૂ કરી છે.
આ સમગ્ર મામલે પૂર્વ જજ ગૌરી બહાદુર કાર્કીના નેતૃત્વમાં રચાયેલા હાઈ-લેવલ કમિશનની તપાસમાં મહત્વના ખુલાસા થયા છે. કમિશનના અહેવાલ મુજબ ગોળીબારનો સીધો આદેશ આપ્યાના પુરાવા નથી મળ્યા, પરંતુ હિંસા રોકવા અથવા નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા નહોતા. આ આધારે ઓલી અને લેખકને ગુનાહિત બેદરકારી માટે જવાબદાર ગણાવવામાં આવ્યા છે.
બંને નેતાઓ સામે નેપાળના નેશનલ પેનલ કોડની કલમ 181 અને 182 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. નવા ગૃહમંત્રી સુદન ગુરુંગએ સોશિયલ મીડિયા પર ‘Promise is Promise’ લખીને સ્પષ્ટ કર્યું કે આ કાર્યવાહી રાજકીય બદલો નહીં પરંતુ કાયદાના શાસનને મજબૂત બનાવવાનો પ્રયાસ છે. તેમણે જણાવ્યું કે “કાયદા કરતા કોઈ પણ મોટું નથી.”
બીજી તરફ કે.પી શર્મા ઓલીએ આ ધરપકડને ‘પ્રતિશોધાત્મક રાજનીતિ’ ગણાવી છે અને કાનૂની લડાઈ લડવાની જાહેરાત કરી છે. તેમણે તપાસ કમિશનના રિપોર્ટને ‘પાત્રહનન’ સમાન ગણાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે બાલેન શાહ માત્ર 35 વર્ષની ઉંમરે નેપાળના સૌથી યુવા વડા પ્રધાન બન્યા છે. એન્જિનિયર અને રેપર તરીકે ઓળખાતા બલેન્દ્ર શાહે 2026ની ચૂંટણીમાં ઝાપા-5 બેઠક પરથી ઓલીને હરાવીને ઇતિહાસ રચ્યો છે. મધેશી સમુદાયમાંથી આવતા પ્રથમ વડા પ્રધાન તરીકે તેઓ દેશની રાજનીતિમાં નવી દિશા આપતા નેતા તરીકે ઉભરી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel