ઇન્દોરમાં બુધવારે વહેલી સવારે એક ભીષણ આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. બ્રિજેશ્વરી એનેક્સ વિસ્તારમાં આવેલી એક બહુમાળી રહેણાંક ઇમારતમાં લાગેલી આગમાં સાત લોકોનાં કરુણ મોત થયા છે, જ્યારે કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
EV ચાર્જિંગ પોઈન્ટ વિસ્ફોટથી લાગી આગ
પોલીસ કમિશનર સંતોષ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, મકાનની બહાર પાર્ક કરાયેલ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જ થઈ રહ્યું હતું. આ દરમિયાન ચાર્જિંગ પોઈન્ટમાં અચાનક વિસ્ફોટ થયો, જેના કારણે આગ લાગી હતી. આગ ઝડપથી મકાનમાં ફેલાઈ ગઈ અને થોડી જ વારમાં સમગ્ર ઇમારતને ઝપેટમાં લઈ લીધી.
આગની પરિસ્થિતિ ત્યારે વધુ ભયંકર બની ગઈ જ્યારે મકાનની અંદર રાખેલા 10થી વધુ ગેસ સિલિન્ડરો એક પછી એક ફાટવા લાગ્યા. આ સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને લોકોને બહાર નીકળવાનો સમય જ મળ્યો નહોતો.
#WATCH | Indore, Madhya Pradesh | Commissioner of Police for Indore, Santosh Kumar Singh says, "…As per initial investigations, an electrical vehicle was being charged outside the house and the charging point exploded…The fire then spread to the house from the car…More than… https://t.co/3eyJQ5ydPG pic.twitter.com/BGWZreycQr
— ANI (@ANI) March 18, 2026
માહિતી મુજબ, આ મકાન મનોજ પુગાલિયા નામના વ્યક્તિનું છે, જે પોલીમરનો વ્યવસાય કરે છે. મકાનની અંદર જ્વલનશીલ કેમિકલ્સ અને પોલીમરનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો, જેના કારણે આગ ખૂબ ઝડપથી ફેલાઈ ગઈ. આ જ કારણથી નુકસાનનું પ્રમાણ પણ વધી ગયું છે.
બચાવ કામગીરી અને અધિકારીઓ સ્થળ પર
ઘટનાની જાણ થતાં જ જિલ્લા મેજિસ્ટ્રેટ શિવમ વર્મા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડ અને NDRFની ટીમોએ ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
સ્થાનિક લોકોની મદદથી ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા ત્રણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેમ છતાં, સાત લોકો આગમાં ફસાઈ જતા તેમનું મોત થયું હતું.
Indore, Madhya Pradesh: A fire broke out in the three-story house in the Tilak Nagar police station area, leaving at least six people dead, confirmed Indore Collector Shivam Verma. A team of 8–10 firefighters managed to bring the blaze under control. pic.twitter.com/GQMxOungda
— IANS (@ians_india) March 18, 2026
કલેક્ટર શિવમ વર્માના જણાવ્યા મુજબ, આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે. ઇમારતના બે માળ ક્લિયર કરી દેવામાં આવ્યા છે અને ત્રીજા માળે તપાસ ચાલી રહી છે. ફાયર વિભાગ અને NDRFની ટીમો હજુ પણ તપાસ કરી રહી છે કે કાટમાળમાં કોઈ અન્ય વ્યક્તિ ફસાયેલો તો નથી ને.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel