બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટાના કર્તવ્ય પથ પર નવનિર્મિત કર્તવ્ય ભવન-3નું ઉદ્ઘાટન કર્યું, જે ભારતના પ્રશાસનના આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પગલું છે. આ ભવન સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો એક મુખ્ય ભાગ છે અને તે કોમન સેન્ટ્રલ સેક્રેટરીએટ બિલ્ડિંગ્સની શૃંખલામાંથી પ્રથમ ઇમારત છે. કર્તવ્ય ભવનના નિર્માણથી કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોની કચેરીઓ, જે અત્યાર સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં જૂની અને જર્જરિત ઇમારતોમાંથી કાર્યરત હતી, હવે એક જ સુવ્યવસ્થિત અને આધુનિક સંકુલમાં એકત્રિત કરવામાં આવશે.
#WATCH | Prime Minister Narendra Modi inaugurates Kartavya Bhavan at Kartavya Path in Delhi.
(Source: DD News) pic.twitter.com/EX8MdDAcHa
— ANI (@ANI) August 6, 2025
કર્તવ્ય ભવન-3 લગભગ દોઢ લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને તેમાં બે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને સાત માળ હશે. આ ભવનમાં મુખ્યત્વે ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય, MSME મંત્રાલય, કર્મચારી અને તાલીમ વિભાગ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય, અને મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારનું કાર્યાલય સ્થાયી થશે.
#WATCH | Prime Minister Narendra Modi inaugurates Kartavya Bhavan at Kartavya Path in Delhi.
Kartavya Bhavan has been designed to foster efficiency, innovation, and collaboration by bringing together various Ministries and Departments currently scattered across Delhi. It will… pic.twitter.com/8s0SnZoeBj
— ANI (@ANI) August 6, 2025
આ નવી ઇમારતમાં અનેક અત્યાધુનિક તકનિકી સુવિધાઓ સમાવિષ્ટ છે જેમ કે સ્માર્ટ આઈડી કાર્ડ આધારિત એન્ટ્રી સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ સાથે સેન્ટ્રલ કમાન્ડ સેન્ટર, એચવીએસી (હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ), રૂફટોપ સોલાર પેનલ્સ, સોલાર વોટર હીટિંગ સિસ્ટમ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને કાર્યક્ષમ પાણી વ્યવસ્થાપન માટે આધુનિક તકનિકીનો ઉપયોગ. આ તમામ સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ ભવન GRIHA-4 (Green Rating for Integrated Habitat Assessment) રેટિંગ પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે બનાવવામાં આવ્યું છે.
#WATCH | After the inauguration of Kartavya Bhavan at Kartavya Path in Delhi, Prime Minister Narendra Modi interacted with the construction workers associated with the Kartavya Bhavan.
Source: DD News) pic.twitter.com/sxVKtOiaLr
— ANI (@ANI) August 6, 2025
સરકારનો ઉદ્દેશ્ય માત્ર ઇમારતોનું એકત્રીકરણ નથી, પરંતુ વહીવટી પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ, પર્યાવરણમૈત્રી, ડિજિટલ-સક્ષમ અને ઉત્તમ શાસન માટે સહાયક બનાવવાનો છે. જૂની ઇમારતોના જતન અને નવીનીકરણ પર આવનારા ખર્ચને ઘટાડવા માટે પણ આ ભવન નિર્માણ મહત્વપૂર્ણ સાબિત થશે. કર્તવ્ય ભવનના માધ્યમથી ભારતની સંચાલન વ્યવસ્થામાં એક નવી ઔપચારિકતા અને કાર્યક્ષમતાનું યૂગ શરૂ થયું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel