વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરના રોજ ફરી ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. તાજેતરમાં 31 ઓક્ટોબરે તેઓ સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં હાજરી આપી હતી. હવે તેઓ ગુજરાતના આદિવાસી પટ્ટામાં ‘આદિવાસી ગૌરવ દિવસ’ના કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાને સૌપ્રથમ નર્મદા જિલ્લાના સાગબારા ખાતે આવેલ પ્રાચીન તેમજ આસ્થાનું પ્રતિક ગણાતા દેવમોગરા માતાના મંદિરમાં દર્શન કરીને પૂજા કરી હતી, તેમજ ભગવાન બિરસા મુંડા ની 150મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભગવાન બિરસા મુંડા આદિવાસી સમુદાયના ગૌરવ અને સ્વાભિમાનના પ્રતીક રહ્યા છે, અને તેમની જન્મજયંતિને રાષ્ટ્રીય સ્તરે ‘જનજાતિ ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
LIVE: માનનીય પ્રધાનમંત્રી શ્રી @NarendraModi જીની વિશેષ ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી તથા વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ #BhagwanBirsaMunda150 https://t.co/nmlYNmxpQ7
— BJP Gujarat (@BJP4Gujarat) November 15, 2025
દેવમોગરા ધામનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ
સાતપુડા પર્વત શ્રેણીની કુદરતી ગોદમાં આવેલું દેવમોગરા ધામ આદિજાતિ સમાજની પરંપરા, આસ્થા અને સંસ્કૃતિનું કેન્દ્રસ્થાન છે. અહીં પાંડોરી માતા (યાહમોગી)ની પૂજા થાય છે, જેઓને આદિવાસી કુળદેવી તરીકે માનવામાં આવે છે. મંદિરનું બાંધકામ નેપાળના પશુપતિનાથ મંદિર જેવા ભવ્ય આર્કિટેક્ચર પર આધારિત છે. લોકકથાઓ મુજબ, હજારો વર્ષો પૂર્વે આ વિસ્તારમાં પડેલા કાલજઈ દુષ્કાળ દરમિયાન પ્રજા અને પશુઓને અન્ન આપીને રક્ષણ આપનાર ગોરિયા કોઠારની સેવા-ભાવના સાથે માતાની કથા જોડાયેલી છે, જેને આજેય ભક્તો શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે.
देवमोगरा माता की जय!
आज जनजातीय गौरव दिवस के दिन भगवान बिरसा मुंडा जी की 150वीं जन्म-जयंती के पवित्र अवसर पर देवमोगरा माता के मंदिर में दर्शन का सौभाग्य मिला। देवी माता से मैंने सभी देशवासियों के उत्तम स्वास्थ्य और उन्नति की कामना की। मेरा आग्रह है कि आप भी इस मंदिर में आकर माता… pic.twitter.com/T9y18Xp7cL
— Narendra Modi (@narendramodi) November 15, 2025
વિકાસ પ્રોજેક્ટ્સ અને પ્રવાસનો કાર્યક્રમ
દેવમોગરા ધામમાં પૂજા પૂર્ણ કર્યા પછી વડાપ્રધાન મોદી સુરતથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે પહોંચ્યા, જ્યાં તેમને આત્મિય સ્વાગત મળ્યું. મુલાકાત દરમિયાન તેમણે સુરતના આંત્રોલી ખાતે નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનનું નિરીક્ષણ પણ કર્યું. તેમની આ રાજ્ય મુલાકાત દરમિયાન ₹9,700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ થવાનું છે, જેમાં માર્ગ, પાણી, સ્વાસ્થ્ય, ટ્રાન્ઝિટ અને આદિવાસી સુવિધા સંબંધિત યોજનાઓનો સમાવેશ થાય છે.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi conducts a roadshow in Narmada.
(Video: ANI/DD) pic.twitter.com/uwtHAzsXDc
— ANI (@ANI) November 15, 2025
જંગી જાહેરસભા અને આદિવાસી સમાજ માટે સંદેશ
ડેડિયાપાડા ખાતે વડાપ્રધાન મોટી જાહેરસભાને સંબોધિત કરી રહ્યા છે, જેમાં તેઓ આદિવાસી વિકાસ, સુશાસન અને સાંસ્કૃતિક વારસાને મજબૂત કરવાની દિશામાં સંદેશ આપશે. બિહારમાં NDAની ઐતિહાસિક જીત બાદ તેમનો આ પહેલો જાહેર કાર્યક્રમ છે, જેના કારણે રાજકીય રીતે પણ આ મુલાકાત મહત્વપૂર્ણ ગણાય છે.
#WATCH | Narmada, Gujarat | Prime Minister Narendra Modi says, "There are countless such chapters of the freedom struggle imbued with tribal pride and tribal values. We cannot forget the contribution of the tribal society in the freedom movement… In the pursuit of giving credit… https://t.co/Q32rcn92yC pic.twitter.com/HMFXa4V9r8
— ANI (@ANI) November 15, 2025
સુરત ખાતે બિહારી સમાજ સાથે મુલાકાત
પ્રવાસના અંતે વડાપ્રધાન સુરત એરપોર્ટ પર બિહારના વતનીઓ સાથે વિશેષ મુલાકાત પણ કરશે, જે સુરતમાં વસતા બિહારી સમુદાય માટે ગૌરવ અને ઉત્સાહનો ક્ષણ છે.
આ રીતે PM મોદીની સમગ્ર મુલાકાત આદિવાસી સંસ્કૃતિ, વિકાસ અને રાષ્ટ્રીય એકતાને સમર્પિત રહી છે, જેમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ ત્રણેય પાસાઓનો સુમેળ જોવા મળે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel