વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દિલ્હીના લોક નાયક જયપ્રકાશ (LNJP) હૉસ્પિટલમાં પહોંચી ગયા, જ્યાં તેમણે દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી. પીએમ મોદીએ દરેક પીડિતની બાજુમાં જઈને તેમની સાથે વાતચીત કરી, તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી અને તેમને જલદી સ્વસ્થ થવાની શુભેચ્છા આપી. તેમણે હોસ્પિટલના તબીબો અને અધિકારીઓ પાસેથી ઈજાગ્રસ્તોની સારવાર, હાલત અને જરૂરી તબીબી સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી આજે ભૂટાનથી દિલ્હી પરત ફર્યા બાદ સીધા એરપોર્ટથી LNJP હૉસ્પિટલ પહોંચ્યા હતા, જે તેમના પીડિતો પ્રત્યેના સંવેદનશીલ અભિગમનું પ્રતિબિંબ છે. હૉસ્પિટલમાં હાલ દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા ભીષણ કાર વિસ્ફોટમાં ઘાયલ 25થી વધુ લોકોનું સારવાર ચાલી રહ્યું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ છે.
PM Modi says, "Went to LNJP Hospital and met those injured during the blast in Delhi. Praying for everyone’s quick recovery. Those behind the conspiracy will be brought to justice!" pic.twitter.com/5lvQA2QlUQ
— ANI (@ANI) November 12, 2025
આ ઘટનાના નવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે ચાલતી ગાડીઓ વચ્ચે એક i20 કાર અચાનક જોરદાર ધડાકાથી ફાટી જાય છે. વીડિયોમાં દેખાય છે કે કાર પાર્કિંગમાંથી ધીમે ધીમે બહાર નીકળે છે અને થોડા જ સેકન્ડોમાં ભયાનક વિસ્ફોટ થાય છે, જેના કારણે ચારે બાજુ ધુમાડો છવાઈ જાય છે અને લોકો ગભરાટમાં ભાગતા જોવા મળે છે. આ દૃશ્ય ચાંદની ચોકના CCTV કંટ્રોલ રૂમમાં કૅપ્ચર થયું હતું. વિસ્ફોટનો સમય સાંજે 6:50 વાગ્યે હોવાનું ફૂટેજમાં સ્પષ્ટપણે જણાય છે.
Upon landing from Bhutan, PM Modi went straight to LNJP hospital to meet those injured after the blast in Delhi. He met and interacted with the injured and wished them a speedy recovery. He was also briefed by officials and doctors at the hospital. pic.twitter.com/FqQdk4d7w2
— ANI (@ANI) November 12, 2025
દિલ્હીમાં આ વિસ્ફોટ બાદ કેન્દ્ર સરકાર એકશન મોડમાં આવી ગઈ છે. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે આજે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ (CCS)ની બેઠક યોજાશે. આ બેઠક સાંજે 5:30 વાગ્યે 7, લોક કલ્યાણ માર્ગ ખાતે યોજાશે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હાજર રહેશે.
ગૃહમંત્રી અમિત શાહે પહેલેથી જ સુરક્ષા એજન્સીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા કરીને આ વિસ્ફોટની તપાસ NIA (National Investigation Agency)ને સોંપી દીધી છે. તપાસ એજન્સીઓ હાલ આ સમગ્ર ઘટનાના આંતરરાષ્ટ્રીય જોડાણો અને આતંકી નેટવર્કની કડીઓ શોધી રહી છે.
ભૂટાનથી જ પીએમ મોદીએ આ ઘટનાને લઈને કડક સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,
“દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ આખા દેશને દુઃખી કર્યું છે. હું ભારે હૃદયે ભૂટાનથી પરત ફર્યો છું. આખી રાત મેં તપાસમાં જોડાયેલી એજન્સીઓ સાથે બેઠક કરી છે. દેશ પીડિત પરિવારોની સાથે છે. આ ષડયંત્રના સૂત્રધારો સુધી પહોંચવામાં કોઈ કચાશ રાખવામાં આવશે નહીં.”
પીએમ મોદીએ અંગ્રેજીમાં પણ કહ્યું હતું —
“All those responsible will be brought to justice.”
પીએમ મોદીની LNJP હૉસ્પિટલની મુલાકાતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકાર દરેક પીડિતની ચિંતા કરે છે અને કોઈ પણ દોષીને છોડશે નહીં. હાલ સમગ્ર રાજધાનીમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે અને તમામ એજન્સીઓને ચુસ્ત સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel