પાલીતાણા તાલુકામાં આવેલ નાનીમાળ ગામે 12 જ્યોતિર્લિંગના દર્શન એક જ સ્થળે કરવાનો અનોખો આધ્યાત્મિક અનુભવ ભક્તોને મળી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અહીં યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ગામલોકોને હવે જ્યોતિર્લિંગના દર્શન માટે દૂર જવાની જરૂર નથી, કારણ કે આ આધ્યાત્મિક કેન્દ્રમાં જ તમામ જ્યોતિર્લિંગના દર્શન શક્ય બન્યા છે. આશ્રમ પરિસરમાં કુલ 17 મંદિરો આવેલ છે, જેનો નિર્માણ આશરે 25 વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો.
મંદિર જીર્ણોદ્ધાર અને ધાર્મિક વિકાસ
સમય જતાં મંદિરો જર્જરિત થતા તેમના જીર્ણોદ્ધારનો વિચાર ત્રણ વર્ષ પહેલા મુકેશભાઈ મનજીભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત 12 શિવાલયોના પુનઃનિર્માણ સાથે અન્ય દેવસ્થાનોનું પણ નવનિર્માણ કરવામાં આવ્યું છે. શ્રી સોમનાથ મહાદેવ, શ્રી મલ્લિકાર્જુન મહાદેવ, શ્રી મહાકાલ મહાદેવ અને શ્રી ઓમકારેશ્વર મહાદેવ સહિતના દેવસ્થાનોમાં પૂજા-અર્ચના અને દર્શન કરીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને ખરાબ આદતો અને નશાથી દૂર રહેવાની અપીલ કરી હતી. તેમણે સમાજના વિકાસ માટે નશામુક્ત જીવનશૈલી અપનાવવાની અને સકારાત્મક દિશામાં આગળ વધવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં આગેવાન મહેશભાઈ સવાણી અને મુકેશભાઈ પટેલે પણ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું.
Live: મહાશિવરાત્રીના પાવન પ્રસંગે ૧૨ જ્યોતિર્લિંગ સહિત ૧૭ મંદિરનો જીર્ણોધ્ધાર સમારોહ સ્થળ: નાનીમાળ, ભાવનગર https://t.co/6Ha56dLOFc
— Harsh Sanghavi (@sanghaviharsh) February 14, 2026
30 કિમી વિસ્તારથી ભક્તોની હાજરી, મહાશિવરાત્રી પર વિશેષ ભીડ
આશ્રમના સ્થાપક ગુરુ વિજયગીરી બાપુએ નાનીમાળ ગામમાં નાના મંદિરોની “માળ” રચવાની કલ્પના વ્યક્ત કરી હતી, જે આજે સાકાર બની રહી છે. કૈલાશધામ મંદિર સ્થાનિક લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આસપાસના 30 કિલોમીટર વિસ્તારમાંથી ભક્તો દર્શન માટે આવે છે અને મહાશિવરાત્રીના પર્વ પર આશરે 20,000થી વધુ ભક્તોની ભીડ જોવા મળે છે.
આગેવાનો અને મંત્રીઓની ઉપસ્થિતિ
કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી સહિતના આગેવાનોનું અભિવાદન કરવામાં આવ્યું. ઉપરાંત ધારાસભ્યો સર્વ ગૌતમભાઈ ચૌહાણ, હીરાભાઈ સોલંકી, ભીખાભાઈ બારૈયા તેમજ કેશુભાઈ નાકરાણી અને દિગ્વિજયસિંહ ગોહિલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel