પશ્ચિમ બંગાળના કોલકાતાના ન્યૂ ટાઉન વિસ્તારમાં આવેલી ઘુની (Ghuni) ઝૂંપડપટ્ટીમાં 18 ડિસેમ્બરની સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં અંદાજે 100થી વધુ ઝૂંપડાંઓ બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા. અહેવાલો અનુસાર સાંજે લગભગ સવા સાત વાગ્યાના સમયે ઇકો પાર્કના ગેટ નંબર-6 નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટને આગનું કારણ માનવામાં આવી રહ્યું છે, જ્યારે ઝૂંપડાંઓમાં રહેલી જ્વલનશીલ સામગ્રીને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની લગભગ 5થી 10 ગાડીઓ તહેનાત કરવામાં આવી હતી, જોકે સાંકડા રસ્તાઓને કારણે ફાયર ફાઇટરોને અંદર પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. લાંબી મહેનત બાદ મોડી રાત સુધીમાં આગ કાબૂમાં લેવામાં આવી હતી અને સદનસીબે કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના અહેવાલ મળ્યા નથી.
આ ઘટનાને લઈને રાજકીય ઘમાસાણ પણ શરૂ થયું છે. ભાજપના નેતા અમિત માલવીયાએ પશ્ચિમ બંગાળની TMC સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો કે આ આગ કોઈ સામાન્ય અકસ્માત નથી, પરંતુ એક આયોજનબદ્ધ કાવતરું હોઈ શકે છે. માલવીયાના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળમાં Special Intensive Revision (SIR) પ્રક્રિયા શરૂ થયા બાદ અનેક ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોએ પોતાના ઝૂંપડાં બંધ કરીને સરહદ પાર ભાગી જવાની સ્થિતિ સર્જાઈ છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી કોલકાતાના ઉપનગરોમાં ખાલી અને તાળાબંધ ઝૂંપડાંના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને સૌ જાણે છે કે ઘુની ઝૂંપડપટ્ટીમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો રહેતા હતા.
Days before the Election Commission of India (ECI) is set to begin hearings on notices to be served to illegal Bangladeshi and Rohingya settlers, a massive fire has broken out in the Ghuni slum near Eco Park, New Town.
Ever since the SIR process began in West Bengal, visuals of… pic.twitter.com/J9FgALqOxF
— Amit Malviya (@amitmalviya) December 17, 2025
માલવીયાએ આરોપ લગાવ્યો કે મોટાભાગના ઘૂસણખોરો આગ લાગતા પહેલાં જ વિસ્તાર છોડીને જઈ ચૂક્યા હતા અને આગ બાદ પણ ફાયર સેફટીના વાહનો પૂરતી સંખ્યામાં તહેનાત કરાયા નહોતા. તેમણે વધુમાં દાવો કર્યો કે આગ જાણબૂઝીને લગાવવામાં આવી હોઈ શકે છે, જેથી પછી “આગમાં દસ્તાવેજો બળી ગયા” એવું બહાનું બનાવી નવા આધાર કાર્ડ, રેશન કાર્ડ મેળવવામાં આવે અને ફરીથી મતદાર યાદીમાં નામ દાખલ કરી શકાય. નોંધનીય છે કે તાજેતરમાં ચૂંટણી આયોગે જાહેર કરેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં લગભગ 58 લાખ નામો હટાવવામાં આવ્યા છે, જેમાં ઘુની ઝૂંપડપટ્ટીમાં રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોના નામો પણ સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, ભાજપના આ ગંભીર આરોપો પર સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો નથી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel