ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બર 2025ના રોજ લખનઉમાં ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સહિત અનેક પ્રખર નેતાઓએ અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્ર પ્રેરણા સ્થળને એક ઐતિહાસિક રાષ્ટ્રીય સ્મારક અને સ્થાયી રાષ્ટ્રીય મહત્વ ધરાવતા પ્રેરણાદાયક પરિસર તરીકે વિકસાવવામાં આવ્યું છે, જે આશરે 230 કરોડ રૂપિયાના ખર્ચે 65 એકર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે.
#WATCH | Lucknow, Uttar Pradesh: Prime Minister Narendra Modi inaugurates Rashtra Prerna Sthal on the occasion of the 101st birth anniversary of former Prime Minister Bharat Ratna Atal Bihari Vajpayee
The complex features 65-feet-high bronze statues of Dr. Syama Prasad… pic.twitter.com/i31nScBYFf
— ANI (@ANI) December 25, 2025
આ પરિસરમાં ભારતની રાજનીતિ, રાષ્ટ્ર નિર્માણ અને જાહેર જીવનમાં અદ્વિતીય યોગદાન આપનાર ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 65 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવ્યું છે, જે તેમના વિચારો અને રાષ્ટ્રસેવાના પ્રતીકરૂપ છે.
#WATCH | Lucknow, Uttar Pradesh: Prime Minister Narendra Modi inaugurates Rashtra Prerna Sthal
The complex features 65-feet-high bronze statues of Dr. Syama Prasad Mookerjee, Pandit Deendayal Upadhyaya, and Former Prime Minister Atal Bihari Vajpayee, symbolising their seminal… pic.twitter.com/tHDMea4FpL
— ANI (@ANI) December 25, 2025
આ સ્થળ પર કમળના ફૂલના આકારમાં રચાયેલું અદ્યતન મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે, જે અંદાજે 98,000 વર્ગ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. આ મ્યુઝિયમમાં આધુનિક ડિજિટલ અને ઇમર્સિવ ટેકનોલોજી દ્વારા ભારતની રાષ્ટ્રીય યાત્રા તેમજ આ ત્રણ મહાન નેતાઓના વિચાર, કાર્ય અને યોગદાનને જીવંત રીતે રજૂ કરવામાં આવ્યા છે. રાષ્ટ્ર પ્રેરણા સ્થળને એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંપત્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે, જે આવનારી પેઢીઓને નેતૃત્વ, સેવા, રાષ્ટ્રભાવના અને સાંસ્કૃતિક ચેતનાની પ્રેરણા આપશે.
#WATCH | Lucknow: Uttar Pradesh CM Yogi Adityanath felicitates Prime Minister Narendra Modi at a public meeting in Lucknow
PM Modi inaugurated Rashtra Prerna Sthal in Lucknow to honour the life and ideals of former PM Atal Bihari Vajpayee.
(Source: DD) pic.twitter.com/gW1gZRRQES
— ANI (@ANI) December 25, 2025
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel