ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી અને આધુનિક PM ઓફિસ ‘સેવા તીર્થ’નું ભવ્ય લોકાર્પણ કર્યું. રાયસીના હિલ્સમાં સ્થિત આ કાર્યાલયમાં હવેથી વડાપ્રધાન કાર્યાલય, નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સચિવાલય (NSCS) અને કેબિનેટ સચિવાલય એક જ છત્ર નીચે કાર્યરત રહેશે. આ સાથે જ સાઉથ બ્લોક અને નોર્થ બ્લોકમાં 78 વર્ષથી સત્તાનું કેન્દ્ર રહેલા કાર્યાલયનો ઈતિહાસ પૃષ્ઠભૂમિ બની જાય છે.
1. PM RAHAT યોજના: અકસ્માત ભોગવતા લોકો માટે તાત્કાલિક સહાય
નવા કાર્યાલયના લોકાર્પણ પછી વડાપ્રધાએ પ્રથમ PM RAHAT યોજનાની જાહેરાત કરી. આ યોજના અંતર્ગત અકસ્માતના ભોગ બનેલા વ્યક્તિઓને રૂ. 1.5 લાખ સુધીની કેશલેસ સારવાર ફટાફટ આપવામાં આવશે. આ પગલાથી દેશના સામાન્ય નાગરિકો માટે તાત્કાલિક આરોગ્ય સહાય ઉપલબ્ધ થશે અને ઈમર્જન્સી સમયસીમામાં સારવાર સુવિધા સરળ બનશે.
देशवासियों की सेवा के अटूट संकल्प और 'नागरिक देवो भव' की पावन भावना को साथ लेकर, आज ‘सेवा तीर्थ’ को राष्ट्र को समर्पित करने का सौभाग्य मिला।
‘सेवा तीर्थ’ कर्तव्य, करुणा और ‘राष्ट्र प्रथम’ के लिए हमारी प्रतिबद्धता का सशक्त प्रतीक है।
मेरी कामना है कि यह आने वाली पीढ़ियों को… pic.twitter.com/YWYUuSHtsD
— Narendra Modi (@narendramodi) February 13, 2026
2. લખપતિ દીદી યોજના: લાભાર્થીઓના લક્ષ્યાંકમાં વધારો
વડાપ્રધાએ બીજી મહત્વપૂર્ણ જાહેરાત લખપતિ દીદી યોજનાનું લક્ષ્યાંક બમણું કરીને 6 કરોડ કરી દેવાનો કર્યો. આ યોજના મહિલાઓને આર્થિક સશક્તિકરણ અને જીવન માનદંડમાં સુધારાની દિશામાં કામ કરશે.
3. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ: ખેડૂતો માટે નવી તક
ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકારના કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનું લક્ષ્યાંક રૂ. 1 લાખ કરોડથી વધારીને રૂ. 2 લાખ કરોડ કરવામાં આવ્યું છે. આ ફંડથી ખેડૂતોએ આધુનિક ખેતી સાધનો, પાયાંભૂત અવસરો અને માર્કેટિંગ સુવિધાઓનો લાભ લઈને પોતાની ખેતીને વધુ લાભકારી બનાવી શકશે.
At Seva Teerth earlier today, signed files that are connected with the empowerment of the poor, downtrodden, our hardworking farmers, Yuva Shakti and Nari Shakti. The key decisions include:
Approval for the launch of PM RAHAT scheme, as per which victims of accidents will get… pic.twitter.com/dVn5LyrVNX
— Narendra Modi (@narendramodi) February 13, 2026
4. સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0: નવી તક સ્ટાર્ટઅપ્સ માટે
નવી PM ઓફિસમાં વડાપ્રધાએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0ની મંજૂરી આપી. આ ફંડ ડીપ-ટેક રિસર્ચ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટે રૂ. 10,000 કરોડના કોર્પસ સાથે સ્થાપિત કરવામાં આવ્યો છે. નવી ટેક્નોલોજી, નવી નવીનતા અને લીડિંગ સ્ટાર્ટઅપ્સ માટે આ યોજના મહત્વપૂર્ણ વાટાઘાટ બની રહેશે.
With an unwavering resolve to serve the people of India and guided by the sacred spirit of Nagrikdevo Bhava, Seva Teerth is humbly dedicated to the nation.
May Seva Teerth always stand as a radiant symbol of duty, compassion, commitment to the principle of India First. May it… pic.twitter.com/xVRoEcbtE9
— Narendra Modi (@narendramodi) February 13, 2026
સેવા તીર્થ: 78 વર્ષ બાદ બદલાયું વડાપ્રધાન કાર્યાલયનું સરનામું
સેવા તીર્થ પરિસર 2.26 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તાર ધરાવે છે અને તેનું નિર્માણ 1189 કરોડ રૂપિયામાં થયું છે. મુખ્ય પ્રાસાદી બિલ્ડિંગમાં ત્રણ મુખ્ય વિભાગ છે:
-
સેવા તીર્થ-1: PM ઓફિસ
-
સેવા તીર્થ-2: કેબિનેટ સચિવાલય
-
સેવા તીર્થ-3: નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સચિવાલય
આ સાથે, સાઉથ બ્લોક અને નોર્થ બ્લોક હવે મ્યુઝિયમમાં ફેરવવાની શક્યતા છે. સાઉથ બ્લોકમાં ભારતની પ્રથમ કેબિનેટ બેઠક 15 ઑગસ્ટ 1947માં જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આજે, 13 ફેબ્રુઆરી 2026, અહીં છેલ્લી કેબિનેટ બેઠક યોજાઈ અને સત્તાનું કેન્દ્ર સેવા તીર્થમાં શિફ્ટ થયું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel