પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ પટેલ દ્વારા પક્ષીઓની સેવા પ્રવૃતિનું અભિયાન ચાલી રહ્યું છે. શિવકુંજ આશ્રમ જાળિયામાં કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાને તેઓ દ્વારા ભેટ અર્પણ થયેલ છે.
ઈશ્વરિયા ગામનાં વતની અને ઉગામેડી સ્થિત સ્થિત નિવૃત્ત આચાર્ય રમેશભાઈ નાકરાણી પશુ, પક્ષી, પાણી, પર્યાવરણ સાથે સામાજિક પ્રવૃત્તિ સાથે સઘન જોડાયેલાં છે, તેઓ દ્વારા આ ઉનાળામાં ચકલી માળા અને નાનકડા ચણ પાત્રો સાથે પાણીનાં કૂંડાંનું વિતરણ અનેક સંસ્થા ગામોમાં થઈ રહ્યું છે.
કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયા તાજેતરમાં શિવકુંજ આશ્રમ જાળિયામાં આવેલ, આ મુલાકાત વેળાએ વિશ્વાનંદ માતાજી અને કાર્યકર્તાઓને રમેશભાઈ પટેલ દ્વારા આ ભેટ અર્પણ થયેલ છે. નિમુબેન બાંભણિયા આ ભેટથી રાજીપો વ્યક્ત કરી પર્યાવરણ પ્રવૃત્તિ માટે અભિનંદન આપી રમેશભાઈ પટેલને પર્યાવરણ પ્રવૃત્તિમાં પૂરતા સહયોગની ખાતરી આપી હતી. આ વેળાએ ભરતભાઈ ગઢિયા અને અગ્રણી રાજેશભાઈ ફાળકી તથા મૂકેશ પંડિત સાથે જોડાયાં હતાં.
ઉગામેડીનાં સ્વર્ગસ્થ ભૂપતભાઈ મોરડિયા પરિવાર તેમજ અન્ય દાતાઓના સહયોગ સાથે આ અભિયાન ભાવનગર અને બોટાદ જિલ્લાના ગામોમાં ચલાવાઈ રહ્યું છે. આ દિવસે શિવકુંજ આશ્રમ પરિવારમાં પણ આ વિતરણ કરવામાં આવેલ.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel