ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી. તાજેતરની ચૂંટણીઓમાં BJPના શાનદાર પ્રદર્શન અને ભવ્ય જીત બાદ તેઓ માં અંબાના આશીર્વાદ લેવા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા અંબાજી પહોંચ્યા હતા.
શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અને ધજા ચડાવવી:
અંબાજી મંદિરમાં જગદીશ વિશ્વકર્માએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી હતી. તેમણે નિજ મંદિર ખાતે દર્શન કર્યા બાદ મંદિરના શિખર પર ધજા ચડાવી અને ભટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.
મંદિર પરિસરમાં તેમણે ભક્તો સાથે મુલાકાત કરી અને લોકો સાથે ફોટોગ્રાફી પણ કરી, જેનાથી ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ આજે શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની મા અંબાના પાવન દર્શન અને પૂજન કરી આશીર્વાદ મેળવ્યા તથા ભાવપૂર્વક ધ્વજારોહણ કર્યું.
માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે મંગલ પ્રાર્થના કરી.
જય અંબે 🙏 pic.twitter.com/Qxu7LCj9oT
— Jagdish Vishwakarma (@iJagdishBJP) April 30, 2026
ભાજપની જીતનો શ્રેય માં અંબાને:
મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે ભાજપને મળેલી ભવ્ય જીત માં અંબાના આશીર્વાદ અને કાર્યકરોની મહેનતનું પરિણામ છે.
તેમણે ઉમેર્યું કે જનતાએ વિકાસની રાજનીતિ પર વિશ્વાસ મૂક્યો છે, જેના કારણે પક્ષને વ્યાપક સમર્થન મળ્યું છે.
પશ્ચિમ બંગાળ અંગે મોટી આગાહી:
અંબાજીની પવિત્ર ધરતી પરથી વિશ્વકર્માએ પશ્ચિમ બંગાળના રાજકારણ અંગે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું.
તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે આગામી સમયમાં પશ્ચિમ બંગાળમાં પણ ભાજપની સરકાર બનશે અને પક્ષનું સંગઠન ત્યાં મજબૂત બની રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel