નડિયાદ સ્થિત શ્રી સંતરામ મંદિર સંચાલિત તથા પરમ પૂજ્ય મહંતશ્રી રામદાસજી મહારાજ અને સંતશ્રી નિર્ગુણદાસજી મહારાજના પાવન સાનિધ્યમાં ચાલતી શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરીને યોગના મહત્વને આત્મસાત કર્યું હતું. યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને મજબૂત બનાવી શકાય છે તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગ પ્રત્યે પોતાની જાગૃતિ અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો.
આ અવસરે સંસ્થાના પ્રમુખ પરમ પૂજ્ય મહંતશ્રી રામદાસજી મહારાજ તથા મંત્રી સંતશ્રી નિર્ગુણદાસજી મહારાજે સૌ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના આશીર્વાદ પાઠવી યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંદેશ આપ્યો હતો.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel