અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં ધર્માંતરણ બાદ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના લાભ મેળવવા ચાલુ રાખનારાઓ સામે કડક વલણ દાખવ્યું છે અને આ પ્રકારના વર્તનને ‘બંધારણ સાથે ફ્રોડ’ ગણાવી કેન્દ્ર અને રાજ્ય સરકારને તપાસના આદેશ આપ્યા છે. આ ચુકાદો જસ્ટિસ પ્રવીણ કુમાર ગિરીની સિંગલ-જજ બેન્ચે 21 નવેમ્બર, 2025ના રોજ આપ્યો હતો. હાઈકોર્ટે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ મોકલી આવા કેસોની તપાસ કરવા અને નિયમાનુસાર કાર્યવાહી કરવા માટે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.
મામલો મહારાજગંજ જિલ્લાની રહેવાસી જીતેન્દ્ર સહાની સાથે જોડાયેલો છે. જીતેન્દ્ર મૂળ કેવટ સમાજનો હિંદુ હતો, પરંતુ તેણે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો અને હવે પાદરી તરીકે કાર્યરત છે. 11 માર્ચ, 2025ના રોજ તે પોતાના વિરુદ્ધ દાખલ થયેલી ચાર્જશીટ અને તેના પર આધારિત કોગ્નિઝન્સ ઓર્ડરને રદ કરવા કોર્ટમાં અરજી કરી હતી. તેના વિરુદ્ધ IPCની કલમ 153-A (ધર્મના આધારે દુશ્મની ભાવનાઓ ઉકસાવવી) અને 295-A (ઇરાદાપૂર્વક ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી) હેઠળ ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં આરોપ હતો કે સહાનીએ ગામના લોકોને એકઠા કરીને હિંદુ દેવતાઓ અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. કોર્ટમાં સહાની દાવો કર્યો કે તેણે ‘ઈશુ ક્રાઈસ્ટના શબ્દોનો’ પ્રચાર કરવા માટે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસેથી પરવાનગી મેળવેલી હતી, પરંતુ તે રદ્દ થઈ ગઈ હતી.
હાઈકોર્ટે સહાનીની અરજી ‘નિરર્થક’ ગણાવી રદ્દ કરી અને ચાર્જશીટ તેમજ કાર્યવાહી ચાલુ રાખવાનું કહ્યું છે. કોર્ટે નિર્દેશ કર્યો કે જીતેન્દ્રનું એફિડેવિટ ‘ભ્રામક’ છે અને તેના હાલના ધર્મ વિશે તપાસ કરવી જરૂરી છે. અદાલતે બંધારણ (અનુસૂચિત જાતિ) ઓર્ડર, 1950ના પેરાગ્રાફ 3નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે હિંદુ, શીખ અને બૌદ્ધ સમુદાય સિવાયના કોઈપણ પંથના સભ્યોને SC/ST કે OBC ગણવામાં આવી શકતા નથી. સુપ્રીમ કોર્ટના 2024ના સી. સેલ્વરાણી બનામ સ્પેશિયલ સચિવ–કમ–જિલ્લા કલેક્ટર કેસનો ઉલ્લેખ કરતાં હાઈકોર્ટે કહ્યું કે ધર્માંતરણ પછી માત્ર અનામત લાભ મેળવવાના હેતુથી જાતિ આધારિત લાભનો દાવો કરવો બંધારણ સાથેની છેતરપિંડી છે.
જસ્ટિસ ગિરીની બેન્ચે ઉત્તર પ્રદેશના વહીવટીતંત્રને આ પ્રકારના બનાવો અટકાવવા કડક પગલાં લેવા આદેશ આપ્યા છે. રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ્સને આગ્રહ કરાયો છે કે આગામી ચાર મહિનામાં આવા કેસોની ઓળખ કરી મુખ્ય સચિવને અહેવાલ સુપરત કરે. આ ઉપરાંત, સહાનીના ધર્મ વિશે પણ ત્રણ મહિનામાં તપાસ પૂરી કરવાની કાર્યવાહી કરવાની હિર્દેશ આપવામાં આવ્યો છે. સાથે જ, કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવ, યુપીના મુખ્ય સચિવ અને સંબંધિત વિભાગોના સચિવોને SC/ST અને લઘુમતી સ્ટેટસ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવા અને કાયદાકીય અમલીકરણ સુનિશ્ચિત કરવા આદેશ આપવામાં આવ્યો છે.
આ ચુકાદો SC/ST અનામત વ્યવસ્થાના દુરુપયોગને અટકાવવા મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ સાથે ઉત્તર પ્રદેશમાં હજારો કિસ્સાઓની તપાસ થઈ શકે છે, જેમાં ખ્રિસ્તી બન્યા પછી પણ SC/STના લાભો મેળવી રહેલા લોકોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં પણ આવા કિસ્સાઓને લગતા તત્વો સામે આવ્યા છે, જ્યાં ધાર્મિક પરિવર્તન પછી પણ SC/ST લાભનો ઉપયોગ થતો રહે છે, પરંતુ સ્થળે કાર્યવાહી થવાની પ્રતિક્રિયા ન હોવાના કારણે સમસ્યા ચાલુ રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel