લદ્દાખમાં થયેલી હિંસા બાદ NSA હેઠળ જેલમાં બંધ કથિત એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સોમવાર (2 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટે ફરી સુનાવણી કરી હતી. આ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વાંગચુક સામે કરવામાં આવેલી ડિટેન્શન કાર્યવાહીને સંપૂર્ણપણે યોગ્ય ઠેરવી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે સોનમ વાંગચુક લદ્દાખમાં નેપાળ અને બાંગ્લાદેશ જેવી અસ્થિર પરિસ્થિતિ સર્જવા માગતા હતા અને પોતાના ભાષણો દ્વારા યુવાનોને ભડકાવી રહ્યા હતા. આ દાવાને સમર્થન આપવા માટે એસજી મહેતાએ કોર્ટમાં વાંગચુકના અનેક ભાષણોના અંશો વાંચી સંભળાવ્યા હતા અને કહ્યું હતું કે આવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે NSA હેઠળ કાર્યવાહી જરૂરી બની હતી.
એસજી મહેતાએ કોર્ટમાં જણાવ્યું કે સોનમ વાંગચુક પોતાના ભાષણોમાં મહાત્મા ગાંધીના વિચારોનો ઉલ્લેખ માત્ર ઢાલ તરીકે કરતા હતા, જ્યારે વચ્ચે-વચ્ચે ભડકાઉ અને વિઘટનકારી વાતો ઘૂસાડવામાં આવતી હતી. તેમના મતે ગાંધીજીના નામનો ઉપયોગ માત્ર એટલા માટે કરવામાં આવતો હતો જેથી ઉશ્કેરણીજનક ભાષણોને નૈતિક આવરણ મળી રહે. કોર્ટમાં વાંગચુકના ભાષણનો ઉલ્લેખ કરતાં એસજી મહેતાએ જણાવ્યું કે તેઓ સ્પષ્ટ રીતે યુવાનોને નેપાળ જેવી સ્થિતિ ભારતમાં સર્જવા માટે ઉશ્કેરતા હતા. તેમણે વાંગચુકના ભાષણનો તે ભાગ પણ વાંચી સંભળાવ્યો જેમાં તેમણે લદ્દાખમાં સુરક્ષાદળોની હાજરીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને કહ્યું હતું કે આવી હાજરી આક્રોશ વધારી રહી છે તથા તેના કારણે નેપાળ જેવી પરિસ્થિતિ અહીં પણ સર્જાઈ શકે છે.
Mehta: you insulate the inflammatory part with the first part relating to non violence etc. and the last part relating to Gandhiji etc. the district magistrate has to see the speech in a holistic manner. One line, one word, one sentence cannot be couched in a manner that I was…
— Bar and Bench (@barandbench) February 2, 2026
આગળ એસજી મહેતાએ જણાવ્યું કે વાંગચુકે પોતાના ભાષણમાં એવું પણ કહ્યું હતું કે જો તેમને જેલમાં મોકલવામાં આવે તો પણ તે તેમની માંગોને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે અને લદ્દાખમાં નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવો બદલાવ આવશે. તેમણે બાંગ્લાદેશ અને શ્રીલંકામાં થયેલા જનઆંદોલનને ‘ક્રાંતિ’ ગણાવીને લદ્દાખમાં પણ આવો જ બદલાવ લાવવાની વાત કરી હતી. એસજી મહેતાએ કોર્ટમાં દલીલ કરી કે વાંગચુકના ભાષણો પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ લદ્દાખને બાંગ્લાદેશ અને નેપાળ જેવી સ્થિતિ તરફ ધકેલવા માગતા હતા. તેમણે ઉમેર્યું કે બાંગ્લાદેશમાં જે રીતે અશાંતિ અને હિંસા ફાટી નીકળી હતી, તે સૌને ખબર છે, અને આવી સ્થિતિ ભારતના કોઈ પણ ભાગમાં સર્જાવા દેવી યોગ્ય નથી. તેમના મતે વાંગચુક દેશના યુવાનોને નિશાન બનાવી રહ્યા હતા અને ‘મારું’ અને ‘તમારું’ જેવી ભાષા ઉપયોગમાં લઈ સમાજને વહેંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જે દેશવિરોધી પ્રવૃત્તિ તરફ સંકેત આપે છે.
Mehta: he wants Ladakh to become Nepal or Bangladesh? This is what clearly he wants to say. We all know what happened in Bangladesh. He is targeting the impressionable youth. The moment you say ours and theirs in this country, you are doing something against the country. There is…
— Bar and Bench (@barandbench) February 2, 2026
એસજી મહેતાએ વાંગચુકના ભાષણોમાં આરબ સ્પ્રિંગના ઉલ્લેખનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ આરબ દેશોમાં જે બન્યું તે જ અહીંના યુવાનો પાસેથી કરાવવા માગતા હતા. સરકારના મતે આ પ્રકારનું આહ્વાન સિવિલ વૉર જેવી સ્થિતિ ઉભી કરવાની દિશામાં જાય છે. તેમણે દલીલ કરી કે આવા ભાષણો પર કાર્યવાહી કરવી પ્રશાસનની સત્તા અને ફરજ બંનેમાં આવે છે અને વાંગચુકને આ રીતે સમાજમાં ‘ઝેર ફેલાવવાની’ છૂટ આપી શકાય નહીં. એસજી મહેતાએ કોર્ટમાં વધુમાં કહ્યું કે વાંગચુકે પોતાના ભાષણોમાં સીતાજી વિશે પણ એવી ટિપ્પણીઓ કરી હતી જે અંગે કોર્ટમાં ખુલ્લી ચર્ચા કરવી પણ યોગ્ય નથી.
આ સમગ્ર દલીલો બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે વધુ સુનાવણી મંગળવાર (3 ફેબ્રુઆરી) કરવાની હોવાનું જણાવ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel