ભારતીય રેલવેએ દેશભરમાં મુસાફરોની સતત વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને અને યાત્રીઓની સુવિધામાં વધારો કરવા માટે 1 ફેબ્રુઆરીથી 20 નવી ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવી ટ્રેનો 10 રાજ્યોના 17 મહત્વપૂર્ણ શહેરોને આવરી લેશે, જેના કારણે લાંબા અને ટૂંકા અંતરની મુસાફરી વધુ સરળ, ઝડપી અને આરામદાયક બનશે.
દિલ્હીથી અયોધ્યા સુધીના મુસાફરોને ફાયદો
નવી શરૂ થનારી ટ્રેનોના કારણે દિલ્હી, શામલી, પીલીભીત, શાહજહાંપુર, રાજેન્દ્ર નગર, નવી દિલ્હી, સાબરમતી, જોધપુર, કામાખ્યા, રોહતક, સંબલપુર, ઈરોડ, પુરી, રાઉરકેલા, ધૂલે, વારાણસી અને અયોધ્યા શહેર જેવા મહત્વપૂર્ણ રૂટ પર મુસાફરી કરનારાઓને મોટી રાહત મળશે. ખાસ કરીને નોકરીયાત, વિદ્યાર્થીઓ અને તીર્થયાત્રીઓ માટે આ ટ્રેનો ઉપયોગી સાબિત થશે.
10 રાજ્યોમાં દોડશે અમૃત ભારત, વંદે ભારત અને સ્પેશિયલ ટ્રેનો
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, નવી ટ્રેનોમાં અમૃત ભારત એક્સપ્રેસ, વંદે ભારત ટ્રેન અને કેટલીક સ્પેશિયલ ટ્રેનોનો સમાવેશ થાય છે. IRCTCની વેબસાઈટ અને મોબાઇલ એપ પર બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, હરિયાણા, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, આસામ અને દિલ્હી જેવા રાજ્યોમાં આ નવી ટ્રેનો દોડશે.
આ મહત્વપૂર્ણ રૂટ પર શરૂ થશે નવી ટ્રેનો
દિલ્હી – શામલી MEMU (ટ્રેન નં. 64033):
દરરોજ અપ-ડાઉન કરનાર મુસાફરો માટે આ ટ્રેન મોટી સુવિધા સાબિત થશે.
પીલીભીત – શાહજહાંપુર પેસેન્જર:
સ્થાનિક કનેક્ટિવિટી વધારવા માટે શરૂ કરાયેલી આ દૈનિક ટ્રેનથી ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોને લાભ મળશે.
રાજેન્દ્ર નગર – નવી દિલ્હી અમૃત ભારત એક્સપ્રેસ:
બિહારથી દિલ્હી જતા મુસાફરો માટે ઝડપી અને કિફાયતી વિકલ્પ રૂપે આ ટ્રેન મહત્વપૂર્ણ રહેશે.
સાબરમતી – જોધપુર વંદે ભારત:
આ રૂટ પર વંદે ભારત ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે, જેથી ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ઝડપી અને આરામદાયક મુસાફરી વધુ અનુકૂળ બને.
કામાખ્યા – રોહતક અમૃત ભારત:
પૂર્વોત્તર ભારત અને હરિયાણાને જોડતી આ સાપ્તાહિક ટ્રેનથી લાંબા અંતરની મુસાફરી સરળ બનશે.
સંબલપુર – ઈરોડ સ્પેશિયલ:
ઓડિશા અને તમિલનાડુ વચ્ચે સીધી કનેક્ટિવિટી વધારતી આ ટ્રેન દક્ષિણ ભારત જનાર મુસાફરો માટે ઉપયોગી રહેશે.
પુરી – રાઉરકેલા વંદે ભારત:
ઓડિશાના મુખ્ય શહેરોને જોડતી આ સેમી હાઈ-સ્પીડ ટ્રેન રાજ્યની અંદર ઝડપી મુસાફરી સુલભ બનાવશે.
ધૂલે – વારાણસી / અયોધ્યા ટ્રેનો:
મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશના ધાર્મિક સ્થળો સુધી સીધી રેલ સેવા શરૂ થવાથી તીર્થયાત્રીઓને વિશેષ લાભ મળશે.
રેલવે કનેક્ટિવિટી અને મુસાફર સુવિધામાં વધારો
નવી ટ્રેનો શરૂ થવાથી રેલવે નેટવર્ક વધુ મજબૂત બનશે અને પ્રવાસીઓ માટે સમય બચાવતી તથા આરામદાયક મુસાફરી શક્ય બનશે. ખાસ કરીને તહેવારો અને યાત્રા સિઝનમાં આ નિર્ણય મુસાફરો માટે રાહતરૂપ સાબિત થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel