બનાસકાંઠાના સરહદી પંથક થરાદના નાણી ગામ આજે વિકાસની મહાકુંભ સાબિત થયો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીલ્લા માટે રૂ.20,000 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ ઐતિહાસિક પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી, અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસનું આંકડાકીય વિઝન રજૂ કર્યું
જાહેરસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “એક સમય હતો જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યનું વાર્ષિક બજેટ રૂ.38,000 કરોડની આસપાસ હતું. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ અને રાજ્ય એટલી ઝડપથી આગળ વધી રહ્યા છે કે, માત્ર એક જ દિવસમાં બનાસકાંઠા જિલ્લાને રૂ.20,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી રહી છે.”
મુખ્યમંત્રીનું કહેવું હતું કે આ આંકડો ડબલ એન્જિન સરકારના વિકાસ પ્રતિબદ્ધતાને સંપૂર્ણ રીતે દર્શાવે છે અને પ્રત્યેક વિસ્તાર, ખાસ કરીને સરહદી પંથક, સુધી વિકાસ પહોંચાડવાનો મકસદ સાકાર થાય છે.
વિધાનસભા અધ્યક્ષે વડાપ્રધાનના વિઝનને બિરદાવ્યું
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, “બનાસકાંઠાના અંતરિયાળ અને સરહદી ગામડાઓ સુધી નીર, માર્ગ, અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચાડવાનો સપનું આજે સાકાર થઈ રહ્યું છે.”
વડાપ્રધાન મોદીએ વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું જેમાં સિંચાઈ યોજનાઓ, રોડ વિકાસ, મકાન વિભાગના પ્રોજેક્ટ્સ, તેમજ બનાસ ડેરીના નવા પ્રકલ્પોનો સમાવેશ થાય છે. આ પ્રકલ્પો કૃષિ, પશુપાલન અને યુવાનો માટે નવી તકો ઉભી કરશે, અને સ્થાનિક આર્થિક સ્થિતિમાં વધારો લાવશે.
લોકાર્પિત પ્રકલ્પોના લાભો
આ વિકાસ પ્રકલ્પો બનાસકાંઠાના ખેડૂતો, પશુપાલકો અને યુવાનો માટે સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે. શિક્ષણ, આરોગ્ય, પાણી અને માર્ગવ્યવસ્થા જેવી મૂળભૂત સુવિધાઓ સુધી પહોંચ વધારવાનું કામ આ કાર્યક્રમમાં મોખરે રહ્યું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel