મેઘાલયના ઈસ્ટ જયંતિયા હિલ્સ જિલ્લામાં આવેલી એક ગેરકાયદેસર કોલસાની ખાણમાં 5 ફેબ્રુઆરીની સવારે લગભગ 11 વાગ્યે થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 18 શ્રમિકોનાં કરુણ મોત થયાં છે. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર બંને તાત્કાલિક હરકતમાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્ય સરકારને તમામ શક્ય સહાયની ખાતરી આપી છે.
અત્યાર સુધી 18 મૃતદેહો બહાર, એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
મળતી માહિતી અનુસાર, બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 18 મૃતદેહોને ખાણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ઉપરાંત એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી જવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વિસ્ફોટ બાદ ખાણ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી હતી અને સ્થાનિક પ્રશાસને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.
PM મોદી દ્વારા PM કેર ફંડમાંથી આર્થિક સહાયની જાહેરાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનો માટે PM કેર ફંડમાંથી પ્રતિ પરિવાર 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી છે. કેન્દ્ર સરકાર તરફથી રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી તમામ સહાય આપવામાં આવશે એવી ખાતરી પણ આપવામાં આવી છે.
Pained by the loss of lives in the tragic accident in Meghalaya. One NDRF team has reached and 2 more teams are on the way. Spoke with the Chief Minister of Meghalaya, Conrad Sangma Ji, and assured him of every support from the Centre.
— Amit Shah (@AmitShah) February 5, 2026
અમિત શાહે મુખ્યમંત્રી કોનરાડ સંગમા સાથે વાત કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી મેળવી અને બચાવ કામગીરી ઝડપી બનાવવામાં કેન્દ્ર સરકાર સંપૂર્ણ સહયોગ આપશે એવી ખાતરી આપી હતી. મુખ્યમંત્રી સંગમાએ રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારોને 3 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા સહાય જાહેર કરી છે.
ગેરકાયદેસર ખાણ પર કડક કાર્યવાહીનો ઈશારો
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે જે ખાણમાં વિસ્ફોટ થયો તે ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી. તેમણે જણાવ્યું કે ઘટનાના જવાબદાર લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર ‘Scientific Mining’ને પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓને કોઈપણ રીતે સહન કરવામાં આવશે નહીં.
બચાવ કામગીરી અને તપાસ ચાલુ
ઘટનાની જાણ થતાં જ NDRF અને SDRFની ટીમોને સ્થળ પર મોકલવામાં આવી હતી. વિસ્તાર દુર્ગમ અને પહાડી હોવાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે, છતાં ટીમોએ અત્યાર સુધી નોંધપાત્ર કામગીરી કરી છે. પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી છે અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ તેમજ ખાણ અને ખનિજ અધિનિયમ હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel