વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝા યુદ્ધ મુદ્દે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલી શાંતિ યોજનાના પ્રથમ ચરણ પર થયેલા કરારને આવકાર્યો છે, જે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા બે વર્ષથી વધુ સમયથી ચાલતા વિનાશકારી યુદ્ધને સમાપ્ત કરવા માટેનો મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. ટ્રમ્પની મધ્યસ્થતામાં તૈયાર થયેલી આ યોજનાના પ્રથમ ચરણ હેઠળ ગાઝામાં લડાઈ રોકવા, બંધકોને મુક્ત કરવા અને ઈઝરાયલી સેનાને કેટલીક સરહદ સુધી પાછી ખેંચવા અંગે બંને પક્ષોએ સહમતિ આપી છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) પર પોસ્ટ કરતા લખ્યું કે, “અમે પ્રમુખ ટ્રમ્પની શાંતિ યોજનાના પ્રથમ ચરણ પર થયેલા કરારનું સ્વાગત કરીએ છીએ. આ નિર્ણય ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના મજબૂત અને સંકલ્પબદ્ધ નેતૃત્વનું પ્રતિબિંબ છે. ભારત હંમેશા શાંતિ, સ્થિરતા અને માનવતા માટે વચનબદ્ધ રહ્યું છે.” વડાપ્રધાન મોદીએ આ સાથે આશા વ્યક્ત કરી કે આ કરાર મધ્યપૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલી અશાંતિને અંત આપીને, એક નવી શાંતિપૂર્ણ શરૂઆતનું માર્ગદર્શન કરશે.
We welcome the agreement on the first phase of President Trump's peace plan. This is also a reflection of the strong leadership of PM Netanyahu.
We hope the release of hostages and enhanced humanitarian assistance to the people of Gaza will bring respite to them and pave the way…
— Narendra Modi (@narendramodi) October 9, 2025
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની સત્તાવાર સોશિયલ મીડિયા સાઇટ Truth Social પર પોસ્ટ કરી હતી કે, “મને ગર્વ છે કે ઈઝરાયલ અને હમાસે અમારી શાંતિ યોજનાના પ્રથમ ચરણ પર સહમતિ વ્યક્ત કરી છે. તેનો અર્થ એ છે કે, તમામ બંધકો ઝડપથી મુક્ત થશે અને ઈઝરાયલ પોતાની સેનાને એક નિર્ધારિત સરહદ સુધી પાછી ખેંચશે. આ મજબૂત, સ્થાયી અને અનંત શાંતિ તરફનું પહેલું મોટું પગલું છે.” ટ્રમ્પે જણાવ્યું કે આ કરાર માત્ર ઈઝરાયલ અને પેલેસ્ટાઇન માટે જ નહીં, પણ સંપૂર્ણ આરબ વિશ્વ, મુસ્લિમ રાષ્ટ્રો, અમેરિકા અને સમગ્ર માનવતા માટે ઐતિહાસિક દિવસ સાબિત થશે.

ટ્રમ્પે કતાર, મિસ્ર અને તૂર્કિયેના મધ્યસ્થીઓનો પણ આભાર માન્યો છે, જેમણે બંને પક્ષો વચ્ચે ચર્ચાને આગળ ધપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અમેરિકન વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, આ કરારના અમલીકરણ પછી પ્રથમ તબક્કામાં હમાસ દ્વારા બંધક બનાવાયેલા તમામ ઈઝરાયલી નાગરિકો અને વિદેશી નાગરિકોને મુક્ત કરાશે, જ્યારે ઈઝરાયલ તરફથી પણ નિર્ધારિત સંખ્યામાં પેલેસ્ટિનીય કેદીઓને છોડવાની પ્રક્રિયા શરૂ થશે.
આ ઐતિહાસિક કરારની જાહેરાત બાદ તેલ અવીવમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું. બે વર્ષથી પોતાના પરિવારજનોના ગાયબ થવાની અને બંધક બનવાની પીડામાં જીવી રહેલા ઈઝરાયલી પરિવારો આ સમાચાર સાંભળી ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. રસ્તાઓ પર લોકો નાચતા, આતશબાજી કરતા અને એકબીજાને મીઠાઈ વહેંચતા જોવા મળ્યા. ઈઝરાયલી અધિકારીઓના જણાવ્યા મુજબ, ગાઝા દ્વારા બંધક બનાવવામાં આવેલા કુલ 250 લોકોમાંથી 20 જીવિત છે, જ્યારે 28ના મૃત્યુની પુષ્ટિ થઈ ચૂકી છે. બાકી બંધકો વિશે હજુ પણ માહિતી મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
Tel Aviv and Gaza tonight. Ceasefire! pic.twitter.com/i2RapXOhTh
— Alon-Lee Green – ألون-لي جرين – אלון-לי גרין 🟣 (@AlonLeeGreen) October 9, 2025
ગાઝા યુદ્ધ, જે બે વર્ષથી વધુ સમયથી ચાલે છે, તેમાં અત્યાર સુધી 67,000થી વધુ લોકોના મોત થયા છે, જેમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા પણ નોંધપાત્ર છે. યુદ્ધને કારણે લાખો લોકો ગૃહવિહોણા બન્યા છે, અને પ્રદેશમાં માનવતાવાદી સંકટ સર્જાયું છે. આવા સમયમાં આ કરાર એક આશાની કિરણ તરીકે જોવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ આ કરારને સ્વાગત કરતાં કહ્યું છે કે આ પ્રયાસ જો સફળ થાય તો મધ્યપૂર્વમાં શાંતિ સ્થાપનાની દિશામાં તે એક ઐતિહાસિક મોડી પરંતુ જરૂરી શરૂઆત સાબિત થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel