વૈશ્વિક સ્તરે બદલાતા ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓ વચ્ચે ભારત પોતાની ઊર્જા સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. ખાસ કરીને મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને Ministry of External Affairs (MEA) દ્વારા મહત્વપૂર્ણ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ઊર્જા સપ્લાય, ખાડી દેશો સાથેના સંબંધો અને નાગરિકોની સુરક્ષા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.
ખાડી દેશો સાથે સતત સંપર્ક: MEA
દિલ્હીમાં MEAના પ્રવક્તા રણધીર જાયસ્વાલએ જણાવ્યું કે ભારત મિડલ ઈસ્ટના ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ખાડી દેશો સાથે સતત સંપર્કમાં છે.
તેમણે ઉમેર્યું કે ભારતના મંત્રીઓ ઊર્જા સુરક્ષા મજબૂત કરવા માટે ખાડી દેશોની મુલાકાત લઈ રહ્યા છે. એસ. જયશંકર હાલમાં મોરેશિયસની મુલાકાતે છે અને 11-12 એપ્રિલે United Arab Emirates ની મુલાકાત લઈને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે.
#WATCH | Delhi | MEA Official Spokesperson Randhir Jaiswal says, "We are closely following developments in West Asia. We continue to reach out to countries in the Gulf region. At the direction of the Prime Minister, our ministers are visiting Gulf countries to strengthen our… pic.twitter.com/Ub6HgS7zHG
— ANI (@ANI) April 10, 2026
કતાર અને અન્ય દેશો સાથે ઊર્જા સહકાર
MEA મુજબ Qatar ભારત માટે ઊર્જાનો મહત્વપૂર્ણ સપ્લાયર છે. ભારતે તાજેતરમાં શ્રીલંકા ને 38 મેટ્રિક ટન પેટ્રોલિયમ ઉત્પાદનો પૂરા પાડ્યા છે.
તદુપરાંત મોરિશિયસ સાથે તેલ અને ગેસ પુરવઠા માટે G2G કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે, જે બંને દેશોની ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ રહેશે.
લેબેનૉનની પરિસ્થિતિ પર ચિંતા
ભારતે લેબનોન માં વધતી હિંસા અને નાગરિકોના મોત અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ભારત United Nations Interim Force in Lebanon (UNIFIL)માં યોગદાન આપતું દેશ છે અને શાંતિ જાળવવા પ્રતિબદ્ધ છે. MEAએ જણાવ્યું કે લેબેનૉનમાં ભારતીય દૂતાવાસ સતત ભારતીય નાગરિકોના સંપર્કમાં છે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે.
#WATCH | Delhi | Additional Secretary in the Ministry of Ports, Shipping and Waterways, Mukesh Mangal says, "I would also like to inform that the Minister of Port Shipping and Waterways reviewed the current situation today with all the ports and all the organisations under our… pic.twitter.com/oBie4lA00v
— ANI (@ANI) April 10, 2026
બંદરો અને શિપિંગ મંત્રાલયની તૈયારીઓ
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી છે. મંત્રાલયના અધિકારી મુકેશ મંગલ એ જણાવ્યું કે તમામ બંદરો અને ડીજી શિપિંગને સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે સૂચના આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 124 સહિત કુલ 1,927થી વધુ ભારતીય નાવિકોને સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે અને હાલ તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે.
#WATCH | Delhi: Sujata Sharma, Joint Secretary (Marketing & Oil Refinery), Ministry of Petroleum & Natural Gas, says, "…Our LPG distributors and petrol pumps have adequate stock, no dryout has been reported…Our supply of domestic LPG cylinders remains normal, and online… pic.twitter.com/8PGooAElL5
— ANI (@ANI) April 10, 2026
પેટ્રોલિયમ અને LPG પુરવઠો યથાવત
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય મુજબ દેશમાં LPG અને ક્રૂડ ઓઈલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સુજાતા શર્મા એ જણાવ્યું કે LPG સિલિન્ડરનો પુરવઠો સામાન્ય છે અને 98% ઓનલાઈન બુકિંગ થઈ રહ્યું છે. કોમર્શિયલ LPG સપ્લાય પણ 70% સુધી પુનઃસ્થાપિત થઈ ગયો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel