શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન સંત ડો સંતવલ્લભદાસ સ્વામી અને ડો રમાકાંત પાંડે – કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના જયપુરના સંયુક્ત પ્રયાસથી એક દિવસીય કાર્યશાળા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડો શ્રી નિવાસ વરખેડી ( ઓન લાઈન ) ડો અર્કનાથ ચૌધરી, ડો મદન મોહન ઝા, ડો રાજધર મિશ્ર , ડો લોકમાન્ય મિશ્ર, ડો જયેન્દ્રસિંહ જાદવ , ડો કોસલેન્દ્રજી , જેવા ન્યાય વ્યાકરણ વેદાતંના વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતથી ડો સંતવલ્લભદાસ સ્વામી ચેરમેન વડતાલ , ડો જયેન્દ્રસિંહ જાદવ – મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી, ડો યજ્ઞવલ્લભ સ્વામી – છીરોડી , ડો સ્વરૂપ સ્વામી – પોઈચા પાઠશાળા, ડો હિતેશ પટેલ વગેરે વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો આરંભ સરસ્વતી વંદના અને વૈદિક મંગલાચરણથી થયો હતો.
સમગ્ર કાર્યક્રમમાં સંસ્કૃત હિન્દી અને અંગ્રેજી ભાષામાં વિદ્વાનોએ શિક્ષાપત્રી પર સ્વ સ્વ વકતવ્ય આપ્યું હતું. ઉત્તરાખંડ વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રીરમાકાંત પાંડેએ “શિક્ષાપત્રી ભાષ્ય પ્રકાશન માટે અનુરોધ કર્યો હતો “ અને ઉત્તરાખંડના વિશાળ સંમેલન યોજવાની તૈયારી દર્શાવીને શિક્ષાપત્રીના ઉચ્ચતમ આદર્શોની ચર્ચા કરી હતી.
ડો સંત સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ સંસ્થા શિક્ષાપત્રી સંદેશને વિશ્વ ફલક પર મુકવા માટે પ્રતિબદ્ધ છે.. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને વડિલ સંતોના આશીર્વાદ સાથે સંતો રાત્રી દિવસ નિષ્કામ પુરુષાર્થ કરી રહ્યા છે.. શિક્ષાપત્રીમાં આચારનું મહત્વ છે. શિક્ષાપત્રી રાજધર્મ અને લોકધર્મને શિખવતું શાસ્ત્ર છે. શિક્ષાપત્રી સ્વચ્છતા , આરોગ્ય અને શિક્ષણના પાયા મજબૂત કરતું શાસ્ત્ર છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel