ઝારખંડના ટાટાનગરથી કેરળના એર્નાકુલમ તરફ જઈ રહેલી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસમાં આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં એલામંચિલી સ્ટેશન નજીક ભીષણ આગ લાગી હતી. ટ્રેનના એસી કોચમાં અચાનક લાગેલી આ આગમાં B1, B2 અને M1 સહિતના બે કોચ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા. આ દુર્ઘટનામાં એક મુસાફરનું મોત નિપજ્યું હોવાની પુષ્ટિ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી છે, જ્યારે અન્ય તમામ મુસાફરોને સમયસર બહાર કાઢવામાં આવતાં મોટી જાનહાનિ ટળી હતી. જોકે, રેલવેના સત્તાવાર નિવેદનમાં તમામ મુસાફરો સુરક્ષિત હોવાનો અને કોઈને ઈજા ન થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જે બળી ગયેલા કોચમાંથી મૃતદેહ મળવાની માહિતી સાથે વિરોધાભાસ સર્જે છે.
#BREAKING: A fire broke out in two coaches of the Tata–Ernakulam Express near Elamanchili, Anakapalli, early today. The loco pilot immediately halted the train, allowing passengers to be evacuated safely. Further details are awaited: Railway PRO pic.twitter.com/efjPziFeqW
— IANS (@ians_india) December 29, 2025
અહેવાલો અનુસાર, ટ્રેન અનાકાપલ્લે જિલ્લાના એલામંચિલી સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે એસી કોચમાંથી અચાનક ધુમાડાના ગોટા અને આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી. આ સ્થિતિ જોઈ લોકો પાયલટે તાત્કાલિક સતર્કતા દાખવી ટ્રેનને એલામંચિલી સ્ટેશન પર રોકી દીધી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી. આગ ઝડપથી B1, B2 અને M1 કોચમાં ફેલાઈ ગઈ હતી, ત્યારબાદ રેલવે કર્મચારીઓએ તાત્કાલિક સળગતા ડબ્બાઓને અન્ય કોચથી અલગ કરી દીધા હતા. અનાકાપલ્લીના પોલીસ અધિક્ષક તુહિન સિંહાએ જણાવ્યું કે બળી ગયેલા એક કોચમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે, જોકે મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
A fire broke out in two coaches of the #TataErnakulamExpress near Elamanchili, Anakapalli early today. The loco pilot halted the train immediately and enabled mass evacuation.
Two coach caught fire in the accident.
Helpline number given below 👇 pic.twitter.com/lBdTfJD21w
— ECoR Railfans (@ecor_railfans) December 29, 2025
દુર્ઘટના બાદ પરવાડા ડીએસપી વિષ્ણુ સ્વરૂપ અને એનટીઆર (NTR) ટીમની દેખરેખ હેઠળ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. ચાલુ ટ્રેનમાં આગ લાગતા મુસાફરોમાં ભારે ગભરાટ અને નાસભાગ મચી ગઈ હતી. અનેક મુસાફરો જીવ બચાવવા પોતાનું સામાન છોડીને ટ્રેનમાંથી નીચે કૂદી પડ્યા હતા. સદભાગ્યે, સમયસર લેવાયેલા પગલાંને કારણે વધુ જાનહાનિ ટળી.
રેલવે પ્રશાસને આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટને આગ લાગવાનું કારણ માનવામાં આવી રહ્યું છે, જોકે તપાસ પૂર્ણ થયા બાદ જ સાચું કારણ સ્પષ્ટ થશે. આ દરમિયાન રેલવે દ્વારા અસરગ્રસ્ત મુસાફરો માટે વૈકલ્પિક મુસાફરી અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી તેમને વધુ મુશ્કેલી ન પડે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel