RSSના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં યોજાયેલી ‘મુંબઈ વ્યાખ્યાનમાળા’ દરમિયાન સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે અનેક રાષ્ટ્રીય અને સામાજિક મુદ્દાઓ પર સ્પષ્ટ અને દ્રઢ અભિપ્રાયો વ્યક્ત કર્યા. ‘સંઘની 100 વર્ષની યાત્રા – નવા ક્ષિતિજ’ શીર્ષક હેઠળ 7-8 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે હિંદુત્વ, જાતિવ્યવસ્થા, માતૃભાષા, ધર્માંતરણ, રોજગાર, ઘૂસણખોરી, વસ્તી સંતુલન, રાષ્ટ્રીય એકતા અને બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ જેવા વિષયો પર વિગતવાર ચર્ચા કરી.
‘RSS પ્રમુખ બનવા બ્રાહ્મણ હોવું જરૂરી નથી’
મોહન ભાગવતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે RSSના સરસંઘચાલક બનવા માટે બ્રાહ્મણ હોવું કોઈ શરત નથી. તેમણે જણાવ્યું કે, “સંઘમાં કોઈ પદ જાતિ, વર્ગ કે પ્રદેશના આધારે આપવામાં આવતું નથી. જે હિંદુ હોય, કાર્યક્ષમ હોય અને યોગ્યતા ધરાવતો હોય તે સરસંઘચાલક બની શકે.”
તેમણે ઉમેર્યું કે SC-ST હોવું કે બ્રાહ્મણ ન હોવું કોઈ અડચણ નથી અને બ્રાહ્મણ હોવું કોઈ લાયકાત પણ નથી. સંઘની શરૂઆતમાં બ્રાહ્મણોની સંખ્યા વધુ હતી, પરંતુ આજે સંઘ સમાજના તમામ વર્ગોને સંગઠિત કરવા માટે કાર્યરત છે.
વીર સાવરકરને ભારત રત્ન આપવા સમર્થન
RSS પ્રમુખે વીર સાવરકરના યોગદાનને યાદ કરતાં જણાવ્યું કે સાવરકર માત્ર વ્યક્તિ નહીં પરંતુ એક વિચારધારા છે. તેમણે કહ્યું કે, “સાવરકરનું કદ એટલું વિશાળ છે કે તેઓ કોઈ સન્માનથી પરે છે, પરંતુ તેમને ભારત રત્ન આપવો એ રાષ્ટ્રનું ઋણ સ્વીકારવા સમાન રહેશે.”
ભાગવતે જણાવ્યું કે સાવરકરના હિંદુત્વના વિચારો સર્વસમાવેશક હતા અને સામાજિક સમરસતા તથા જાતિ પ્રથા નિર્મૂલન અંગેના તેમના વિચાર આજે પણ પ્રાસંગિક છે. આવા ક્રાંતિકારીઓને સન્માન આપવાથી નવી પેઢીને પ્રેરણા મળે છે.
संघ किसी दूसरी संस्था की प्रतिस्पर्धा में नहीं निकला है, न ही किसी रिएक्शन या विरोध में निकला है। हमारा काम बिना किसी के विरोध किए है। संघ को लोकप्रियता नहीं चाहिए। संघ को पावर नहीं चाहिए। जितने भी भले काम देश में हो रहे हैं, वे ठीक से हो जाएँ—उन्हें करने के लिए संघ है। – डा.… pic.twitter.com/vLIX3KzLyi
— RSS (@RSSorg) February 7, 2026
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાઓ અંગે ચિંતા
બાંગ્લાદેશમાં હિંદુઓ સામે વધતી હિંસા અંગે ચિંતા વ્યક્ત કરતા ભાગવતે જણાવ્યું કે ત્યાં આશરે 1.25 કરોડ હિંદુઓ વસે છે. જો તેઓ પોતાના અધિકારો માટે લડવાનો નિર્ણય કરે છે તો સમગ્ર વિશ્વના હિંદુઓ તેમની સાથે ઊભા રહેશે. શેખ હસીનાની સરકાર પડ્યા બાદ બાંગ્લાદેશમાં કટ્ટરપંથી તત્વો દ્વારા હિંદુ વેપારીઓ, વિદ્યાર્થીઓ અને મજૂરોને નિશાન બનાવવાના બનાવો સામે આવ્યા છે.
‘RSS રાજકીય પક્ષ નથી’
ભાગવતે સ્પષ્ટ કર્યું કે RSS કોઈ રાજકીય પક્ષ નથી, પરંતુ સમાજને જોડવાનો અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો સંઘનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેમણે કહ્યું કે સંઘ સાથે જોડાયેલા કેટલાક લોકો રાજનીતિમાં સક્રિય હોઈ શકે છે, પરંતુ સંઘનું કાર્ય રાજકીય સીમાઓથી ઉપર છે.
‘હિંદુ એ ધર્મ નહીં, સ્વભાવ છે’
હિંદુ શબ્દ અંગે બોલતાં ભાગવતે કહ્યું કે હિંદુ એ માત્ર ધર્મ નથી, પરંતુ એક સાંસ્કૃતિક અને સભ્યતાગત ઓળખ છે. ભારતીય હોવું એ માત્ર નાગરિકતા નહીં, પરંતુ એક જોડનારો સ્વભાવ છે, જે વિવિધતામાં એકતાની ભાવનાને મજબૂત કરે છે.
માતૃભાષા અને સંસ્કારો પર ભાર
મોહન ભાગવતે માતૃભાષાના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, “અંગ્રેજી એટલી શીખો કે અંગ્રેજો તમારી ભાષા સાંભળવા ટિકિટ ખરીદે, પરંતુ માતૃભાષા ક્યારેય છોડશો નહીં.” તેમણે કહ્યું કે ઘરમાં ભાષા, વસ્ત્ર, પ્રાર્થના, ભોજન અને સંસ્કાર ભારતીય હોવા જોઈએ. ‘મમ્મી-ડેડી’ના બદલે ‘માતાજી-પિતાજી’ બોલવાની સલાહ પણ આપી.
મુસ્લિમ સમાજ પણ આપણા જ છે
મુસ્લિમ સમાજ અંગે બોલતાં ભાગવતે કહ્યું કે, જેમ દાંતની વચ્ચે જીભ આવી જાય તો આપણે દાંત તોડી નાખતા નથી, તેવી જ રીતે મુસ્લિમ સમાજ પણ આપણા સમાજનો જ એક ભાગ છે. RSSના સ્વયંસેવકો મુસ્લિમ વિસ્તારોમાં સેવાકાર્ય કરે છે અને કોઈ ભેદભાવ રાખતા નથી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel