ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ થઈ છે.
રાજ્યમાં કે અન્યત્ર બનતી જીવલેણ દુર્ઘટનાઓમાં મોરારિબાપુ દ્વારા ચિત્રકુટધામ તલગાજરડા અંતર્ગત શ્રધ્ધાંજલિ સાથે સંવેદના સહાયતા અર્પણ થતી રહે છે. તાજેતરમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી છે.
આ અકસ્માતમાં ગુજરાતમાં વડોદરા પાસે રાજસ્થાનના પ્રવાસીઓ કે જેઓ બાંસવાડાથી સુરત જતી વેળાએ અકસ્માત સર્જાતા ૭ વ્યક્તિઓ અને મહારાષ્ટ્રમાં પંઢરપુર માર્ગ પર તાંદુળપુર પાસે ખટારો કૂવામાં પડતાં તેમાં બેસેલાં રાંજણી ગામની ૧૪ વ્યક્તિઓનાં કરૂણ મરણ થતાં શ્રધ્ધાંજલિ સાથે ભોગ બનનાર ૨૧ વ્યક્તિઓના પરિવારને રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ થઈ છે.
અકસ્માતોમાં થતી આ સંવેદના સહાયતા જે તે પરિવારને મુખ્યમંત્રી રાહત ભંડોળ અંતર્ગત રામકથા શ્રોતા ભાવિકોના સૌજન્ય સાથે મોકલાઈ છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel