ભારત અને ઇઝરાયલ વચ્ચેની મિત્રતામાં એક નવો અને ભાવુક અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન સામે આવેલા કેટલાક ખાસ દ્રશ્યો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે. ખાસ કરીને ડિનર પહેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા આપવામાં આવેલી અનોખી સરપ્રાઈઝે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
नेतन्याहू ने डिनर पर भारतीय प्रधानमंत्री नरेंद्र मोदी के स्वागत के लिए पारंपरिक भारतीय पोशाक पहनी, जिसे मोदी जैकेट के नाम से भी जाना जाता है। कुछ लोग इसे नेहरू जैकेट भी कहते हैं।
Narendra Modi | Benjamin Netanyahu | India | Israel pic.twitter.com/pU9wZBehus
— One India News (@oneindianewscom) February 26, 2026
નેતન્યાહૂએ પરંપરાગત પશ્ચિમી પહેરવેશને બદલે સફેદ શર્ટ પર લાઇટ ગ્રે રંગનું સ્લીવલેસ જેકેટ પહેર્યું હતું, જે ભારતીય ‘નેહરુ જેકેટ’ જેવી શૈલીમાં હતું. આ દેશી અંદાજમાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વીડિયો શેર કરીને હિન્દીમાં લખ્યું કે, “મેં મારા મિત્ર પીએમ મોદીને ભારતીય પરિધાન પહેરીને ચોંકાવી દીધા.” આ અનોખી મિત્રતાની ઝલક સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં રહી હતી અને ભારત-ઇઝરાયલ સંબંધોની ગરમાહટને વધુ ઉજાગર કરી હતી.
हमारे संयुक्त रात्रिभोज से पहले, मैंने अपने मित्र प्रधानमंत्री मोदी को पारंपरिक भारतीय परिधान पहनकर चौंका दिया। 🇮🇱🇮🇳@narendramodi pic.twitter.com/3ElIQeLY97
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) February 25, 2026
આ મુલાકાતનો બીજો ઐતિહાસિક ક્ષણ ત્યારે આવ્યો જ્યારે પીએમ મોદીએ ઇઝરાયલની સંસદ નેસેટને સંબોધન કર્યું. તેઓ ઇઝરાયલની સંસદને સંબોધન કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. નેસેટ પહોંચતા જ સંસદના સ્પીકર અમીર ઓહાનાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીને ‘સ્પીકર ઓફ ધ નેસેટ’ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા, જે સન્માન તેમણે ભારત અને ઇઝરાયલ વચ્ચેની અતૂટ મિત્રતા તથા બંને દેશોની લોકતાંત્રિક પરંપરાઓને સમર્પિત કર્યું હતું. આ ઐતિહાસિક સત્રમાં વડાપ્રધાન નેતન્યાહૂ ઉપરાંત ઇઝરાયલના વિપક્ષી નેતા યાયર લેપિડની હાજરીએ એ સંદેશ આપ્યો કે ભારત સાથેના સંબંધો અંગે ઇઝરાયલમાં પક્ષ અને વિપક્ષ બંને એકમત છે.
Addressing the Knesset. Do watch my speech. @KnessetENG https://t.co/a8V6Ah5HwY
— Narendra Modi (@narendramodi) February 25, 2026
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ભારત અને ઇઝરાયલ વચ્ચેના હજારો વર્ષ જૂના સાંસ્કૃતિક અને સભ્યતાગત સંબંધોથી લઈને આધુનિક ટેકનોલોજી, સંરક્ષણ, કૃષિ અને નવીનતા જેવા ક્ષેત્રોમાં વધી રહેલી ભાગીદારી પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને સુરક્ષા સહકાર અને આતંકવાદ સામેની લડાઈમાં બંને દેશોની ‘ઝીરો ટોલરન્સ’ની નીતિને ફરીથી દોહરાવી હતી. 7 ઓક્ટોબરના આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે આવી બર્બરતાને ક્યારેય યોગ્ય ઠેરવી શકાય નહીં. તેમણે આ વિસ્તારમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ભારત તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી પણ આપી હતી.
આ ઐતિહાસિક મુલાકાત માત્ર રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ જ નથી, પરંતુ પીએમ મોદી અને નેતન્યાહૂ વચ્ચેની ગાઢ વ્યક્તિગત મિત્રતાનું પણ પ્રતીક બની રહી છે. બંને નેતાઓ વચ્ચેની આ નજીકતા ભારત અને ઇઝરાયલ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જતી હોવાનું માનવામાં આવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel