બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (7 નવેમ્બર 2025) ઔરંગાબાદમાં ભવ્ય જનસભાને સંબોધિત કરી હતી. તેમણે પ્રથમ તબક્કાના મતદાન પછી ઉત્સાહપૂર્વક કહ્યું કે બિહારના લોકો હવે કોઈ પણ કિંમતે જંગલરાજને પાછું આવવા નહીં દે. પીએમ મોદીએ કહ્યું કે પ્રથમ તબક્કાના મતદાનથી સ્પષ્ટ થઈ ગયું છે કે બિહારના મતદાતાઓ વિકાસ, સુશાસન અને વિશ્વાસના માર્ગ પર NDAની સરકારને ફરી તક આપવા માટે પ્રતિબદ્ધ છે.
#WATCH | Aurangabad, Bihar | Addressing a public rally, PM Modi says, "Even the Congress does not have faith in their (RJD) promises. Congress does not even talk about the RJD's manifesto. Bihar has also rejected RJD's package of lies. The voters of Bihar trust Narendra-Nitish's… pic.twitter.com/q1ebNeBH2e
— ANI (@ANI) November 7, 2025
તેમણે કહ્યું કે RJDએ ખોટા વચનો અને ભ્રમ ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ બિહારના યુવાનો હવે સજાગ છે અને તેમણે RJDના જુઠ્ઠાણાંના પિટારાને નકારી કાઢ્યો છે. મોદીએ જણાવ્યું કે બિહારના લોકો “નરેન્દ્ર-નીતીશના ટ્રેક રેકોર્ડ” પર વિશ્વાસ કરે છે, કારણ કે NDAએ હંમેશા વચન પૂરાં કર્યા છે અને બિહારના વિકાસ માટે સમર્પિત રહી છે.
#WATCH | Aurangabad, Bihar | Addressing a public rally, PM Modi says, "The state president of Congress was insulted by RJD. RJD gave Congress only those seats where it hadn't won in 35-40 years. RJD even stole the Chief Ministerial candidacy by putting a gun to Congress's neck.… pic.twitter.com/nI8llmrOMj
— ANI (@ANI) November 7, 2025
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં NDA સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે રાજયના અલગ-અલગ વિસ્તારોમાં ફૂડ પ્રોસેસિંગ, પર્યટન, ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં નવી ઉદ્યોગિક તકો ઊભી કરવામાં આવી રહી છે. ગયામાં સૌથી મોટો ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર વિકસિત થઈ રહ્યો છે.
#WATCH | Aurangabad, Bihar | Addressing a public rally, PM Modi says, "… Yeh abhi se bachchon ko rangdar banane ki baat kar rahe hain. Yeh log khuli ghoshna kar rahe hain ki bhaiya ki sarkar aayegi to katta, donali, firauti, rangdari, tahi sab chalega… Bihar ko katta sarkar… pic.twitter.com/zOjST2bQZf
— ANI (@ANI) November 7, 2025
તેમણે ઉમેર્યું કે મોદીએ આપેલા દરેક વચનો પૂરા કર્યા છે — “રામ મંદિર બનશે” એવું કહ્યું અને બન્યું, “આર્ટિકલ 370ની દીવાલ તોડાશે” એવું કહ્યું અને તોડી, “વન રેન્ક-વન પેન્શન”નું વચન આપ્યું અને અમલમાં લાવવામાં આવ્યું. પીએમ મોદીએ જણાવ્યું કે આજે જ OROPને અમલમાં આવ્યા 11 વર્ષ પૂરા થઈ રહ્યા છે, અને અત્યાર સુધીમાં સૈનિકો અને તેમના પરિવારોને ₹1 લાખ કરોડની રકમ મળી છે.
#WATCH | Aurangabad, Bihar | Addressing a public rally, PM Modi says, "… We promised our soldiers that we would implement One Rank, One Pension. We implemented that on November 7, 11 years ago… Our military families had been demanding One Rank, One Pension for decades. But… pic.twitter.com/V2OcySSFTX
— ANI (@ANI) November 7, 2025
બિહારના નક્સલપ્રભાવિત વિસ્તારોની વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, ઔરંગાબાદ અને આસપાસના વિસ્તારો નક્સલવાદ અને માઓવાદના આતંકથી લાંબા સમય સુધી પીડિત રહ્યા હતા. “તે દિવસો ભૂલાયા નથી, જ્યારે અંધારું થતાં જ રસ્તાઓ પર સન્નાટો છવાઈ જતો હતો, બસો અને વાહનોને સુરક્ષિત રીતે ચલાવવા માટે રંગદારી આપવી પડતી હતી,” એમ મોદીએ કહ્યું. તેમણે ઉમેર્યું કે જંગલરાજની સરકાર જતાં અને નીતીશજીના નેતૃત્વમાં સુશાસનની સરકાર આવતાં નરસંહારની ઘટનાઓ બંધ થઈ ગઈ.
મોદીએ કહ્યું કે, “દિલ્હીમાં NDAની સરકાર બનતાં અમે નક્કી કર્યું હતું કે નક્સલવાદ અને માઓવાદની કમર તોડીને જ રહીશું. આજે અમે એ કમર તોડી નાખી છે, અને લાલ આતંક હવે અંતની અણીએ છે.” તેમણે કહ્યું કે આ શક્ય બન્યું છે કારણ કે બિહારમાં ડબલ એન્જિનની સરકાર છે — એક સાથે રાજ્ય અને કેન્દ્રના સહયોગથી વિકાસ અને સુરક્ષાનું દૌર શરૂ થયું છે.
#WATCH | Bhabua, Bihar: While addressing the public rally, PM Narendra Modi says, "… I have before me a vast power of women whose blessings have always been upon all of us, upon the NDA, and I am grateful to the women's power of Bihar. In the first phase of elections, there has… pic.twitter.com/N0Gau7y3Yc
— ANI (@ANI) November 7, 2025
પીએમ મોદીએ બિહારના લોકોમાં NDA માટે વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે જંગલરાજના ગુંડાઓ હજુ પણ ષડયંત્ર કરી રહ્યા છે, પરંતુ બિહારના લોકો હવે કટ્ટારાજ કે કુશાસન નહીં, પરંતુ સુશાસન ઈચ્છે છે. “બિહારને વિકસિત રાજ્ય બનાવવા માટે માત્ર NDA જ સક્ષમ છે,” એમ મોદીએ કહ્યું.
તેમણે ગરીબ કલ્યાણ યોજનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે બિહારના 60 લાખથી વધુ પરિવારોને પાકા ઘરો મળ્યા છે. શૌચાલય, મફત ગેસ કનેક્શન, મફત રાશન અને મફત સારવાર જેવી યોજનાઓએ ગરીબ, વંચિત, દલિત અને અતિપછાત સમુદાયોને નવી આશા આપી છે.
પીએમ મોદીની ઔરંગાબાદની આ જનસભામાં ભારે જનસંદોહ ઉમટી પડ્યો હતો. લોકો “મોદી-મોદી”ના નારા લગાવી રહ્યાં હતાં અને ઉત્સાહભેર વડાપ્રધાનના સંબોધનને સાંભળી રહ્યાં હતાં.