વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદારધામ દ્વારા પ્રતિષ્ઠિત ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એવોર્ડ દેશના વિકાસ અને સમાજના ઉત્થાનમાં તેમના વિશિષ્ટ યોગદાનને માન્યતા આપવા માટે આપવામાં આવી રહ્યો છે.
સરદારધામના ઉપપ્રમુખ જશવંત પટેલએ આ એવોર્ડ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, આ માત્ર સન્માન નથી પરંતુ પાટીદાર સમાજની લાગણી અને ગૌરવનું પ્રતિક છે.
અમદાવાદમાં તૈયાર થયો ભવ્ય એવોર્ડ
આ વિશિષ્ટ એવોર્ડ સંપૂર્ણપણે અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યો છે. નિષ્ણાત કારીગરોની મદદથી તેને ખૂબ જ કલાત્મક રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
જશવંત પટેલના જણાવ્યા મુજબ, આ એવોર્ડ પાટીદાર સમાજની સંસ્કૃતિ, કલા અને શ્રદ્ધાનું અનોખું પ્રતિબિંબ છે.
160 ગ્રામ સોનાથી બનાવાયેલ અનોખી રચના
એવોર્ડની ભવ્યતા તેની બનાવટમાં સ્પષ્ટ દેખાય છે. તેને તૈયાર કરવામાં લગભગ 160 ગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કિંમતી ધાતુથી મઢાયેલા આ એવોર્ડની ડિઝાઇન વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે અને તેને સત્તાવાર રીતે રજીસ્ટર પણ કરવામાં આવી છે.
આ રજીસ્ટ્રેશનનો અર્થ એ છે કે ભવિષ્યમાં કોઈપણ સંસ્થા અથવા વ્યક્તિ આ ડિઝાઇનનો નકલરૂપ એવોર્ડ બનાવી શકશે નહીં.
પાટીદાર સમાજમાં ખુશીનો માહોલ
સરદારધામ અને સમગ્ર પાટીદાર સમાજમાં આ નિર્ણયને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં આ એવોર્ડ અન્ય પ્રતિભાશાળી વ્યક્તિઓને પણ આપવામાં આવશે, જે માટે ખાસ કમિટી રચવામાં આવશે.
હાલમાં તો સમગ્ર સરદારધામ પ્રધાનમંત્રીના સન્માન સમારોહની તૈયારીઓમાં વ્યસ્ત છે.
રાષ્ટ્રીય એકતા અને ગૌરવનું પ્રતિક
આ એવોર્ડ માત્ર એક વ્યક્તિના સન્માન સુધી મર્યાદિત નથી, પરંતુ તે પાટીદાર સમાજની એકતા, દેશપ્રેમ અને રાષ્ટ્રપ્રતિના સમર્પણને પણ દર્શાવે છે. નરેન્દ્ર મોદીને આપવામાં આવનાર આ સન્માન સમગ્ર દેશ માટે ગૌરવની બાબત બની રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel