આજે દેશે ગૌરવભેર 76મો બંધારણ દિવસ ઉજવ્યો. આ અવસરે સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં એક ભવ્ય અને વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં સવારે 11 વાગ્યાથી ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, તમામ કેન્દ્રીય મંત્રીઓ તેમજ બંને ગૃહના સાંસદોએ ઉપસ્થિતિ દર્શાવી.
संसद के दोनों सदनों के सदस्यों ने हमारे देश को आगे बढ़ाने के साथ-साथ गहन राजनीतिक चिंतन की स्वस्थ परंपरा विकसित की है। आने वाले काल-खंडों में जब विभिन्न लोकतंत्रों और संविधानों का तुलनात्मक अध्ययन किया जाएगा तब भारतीय लोकतन्त्र और संविधान का विवरण स्वर्णाक्षरों में किया जाएगा। pic.twitter.com/mkGhVm4HzW
— President of India (@rashtrapatibhvn) November 26, 2025
કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિએ મરાઠી, નેપાળી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઓડિયા, અસમિયા અને મલયાલમ—આવી નવ ભારતીય ભાષાઓમાં બંધારણના અનુવાદના ડિજિટલ લોકાર્પણ કર્યું. તેમણે કહ્યું કે આ દિવસ દેશની સમગ્ર જનતા માટે બંધારણ નિર્માતાઓ પ્રત્યે આદર વ્યક્ત કરવાનો પવિત્ર અવસર છે. રાષ્ટ્રપતિએ સંસદના સેન્ટ્રલ હોલમાં બંધારણના આમુખનું પઠન કર્યું, ત્યારબાદ રાષ્ટ્રગાન ગવાયું.
LIVE: President Droupadi Murmu graces Samvidhan Divas – 2025 at Central Hall of Samvidhan Sadan, New Delhi https://t.co/iUUDbeu1NF
— President of India (@rashtrapatibhvn) November 26, 2025
કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભા અધ્યક્ષ સી. પી. રાધાકૃષ્ણને જણાવ્યું કે ભારતનું બંધારણ સ્વાતંત્ર્યસેનાનીઓની સામૂહિક બુદ્ધિ, ત્યાગ અને સપનાઓનું જીવંત પ્રતીક છે. બંધારણ સભાના સભ્યો અને ડ્રાફ્ટિંગ કમિટીના મહાન વિદ્વાનોએ લાખો ભારતીયોની આશાઓને સમાવી એક દૂરસાચે વિચારો સાથે ભારતને વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર બનવા માટે મજબૂત પાયો આપ્યો. તેઓએ જણાવ્યું કે અનુચ્છેદ 370 દૂર થયા બાદ 2024ની જમ્મુ-કાશ્મીર ચૂંટણીમાં થયેલા ભારે મતદાન અને તાજેતરની બિહાર ચૂંટણીમાં મહિલાઓના ઉત્સાહપૂર્વકના મતદાનથી ફરી એકવાર લોકતંત્રમાં લોકોનો વિશ્વાસ મજબૂત થયો છે.
आज के दिन, पूरा देश, भारतीय लोकतन्त्र के आधार, हमारे संविधान के प्रति तथा उसके निर्माताओं के प्रति आदर व्यक्त करता है। ‘हम भारत के लोग’, अपने संविधान के प्रति व्यक्तिगत और सामूहिक स्तर पर आस्था व्यक्त करते हैं। pic.twitter.com/ogrPqOWTO0
— President of India (@rashtrapatibhvn) November 26, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસ પર દેશવાસીઓને પત્ર લખી પોતાની ભાવના વ્યક્ત કરી. તેમણે 1949માં બંધારણના ઐતિહાસિક સ્વીકારને યાદ કરી જણાવ્યું કે દેશની પ્રગતિમાં બંધારણે માર્ગદર્શક ભૂમિકા ભજવી છે. વર્ષ 2015માં 26 નવેમ્બરને બંધારણ દિવસ જાહેર કરવાનો નિર્ણય આ પવિત્ર દસ્તાવેજ પ્રત્યે માન પ્રગટાવવા માટે મહત્વપૂર્ણ રહ્યો છે.
हमारे संविधान निर्माता चाहते थे कि संविधान के माध्यम से हमारा सामूहिक और व्यक्तिगत स्वाभिमान सुनिश्चित रहे। मुझे यह कहते हुए बहुत प्रसन्नता होती है कि बीते दशक में हमारी संसद ने जन-आकांक्षाओं को अभिव्यक्त करने के अत्यंत प्रभावी उदाहरण प्रस्तुत किए हैं। pic.twitter.com/Qy1ugiyYUJ
— President of India (@rashtrapatibhvn) November 26, 2025
પોતાના સંસદ અને બંધારણ પ્રત્યેના આદરનો ઉલ્લેખ કરતાં મોદીએ 2014માં સંસદની સીડીને નમન કરવાનું અને 2019માં બંધારણને માથા પર ધારણ કરવાનું સ્મરણ કર્યું. તેમણે બંધારણ સભાના સભ્યો, ખાસ કરીને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. બાબાસાહેબ આંબેડકર તથા મહિલા સભ્યોને વંદન કરી જણાવ્યું કે તેમની દૃષ્ટિ અને ત્યાગથી ભારતીય લોકતાંત્રિક વ્યવસ્થા વધુ મજબૂત અને સમૃદ્ધ બની છે.
हमारा संविधान, हमारी राष्ट्रीय अस्मिता का ग्रंथ है। यह हमारी राष्ट्रीय पहचान का ग्रंथ है। यह colonial mindset का परित्याग करके nationalist mindset के साथ देश को आगे बढ़ाने का मार्गदर्शक ग्रंथ है। pic.twitter.com/MLdwqgmypP
— President of India (@rashtrapatibhvn) November 26, 2025
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel